રાઇટ ટુ એજ્યુકેશન (આઇટીઇ) હેઠળ સરકાર દ્વારા ગરીબ અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના તેમજ જરૂરિયાતમંદ બાળકોને ખાનગી શાળામાં મફત શિક્ષણની સુવિધા પૂરી પાડવામાં આવે છે. જેમાં બાળકોની ફી સરકાર ચૂકવે છે. ત્યારે હવે આરટીઇ હેઠળ ફોર્મ ભરવા માટેની મુદતમાં 4 દિવસનો વધારો કરવામાં આવ્યો છે. શિક્ષણમંત્રીના જણાવ્યા અનુસાર, ફોર્મ ભરવાની મુદ્દતમાં હજુ 10 દિવસનો સમય વધારવામાં આવી શકે છે.
શૈક્ષણિક વર્ષ 2025-26માં આરટીઈ હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12 માર્ચ 2025ના રાતના 12 વાગ્યા સુધી રાખવામાં આવી હતી. જોકે, વેબસાઈટ પર યુઝર્સની સંખ્યામાં વધારો થવાથી સાઈટ ધીમી થવાના કારણે ઓનલાઈન ફોર્મ ભરવાની સમયમર્યાદા 16 માર્ચ 2025ની રાતના 12.00 વાગ્યા સુધી વધારવામાં આવી છે. જિલ્લા કક્ષાએ ફોર્મ ચકાસણી થતા પ્રવેશ પ્રક્રિયાના રાઉન્ડ સબંધિત તારીખો આગામી સમયમાં જાહેર કરવામાં આવશે.
સુરતમાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું હતું કે, આરટીઇમાં આવકની વિસંગતતા હતી. અન્ય બધી બાબતમાં 6 લાખની આવક મર્યાદા આપી રહ્યા છીએ. આવકના સુધારા માટે થોડો સમય આપીએ જેથી વધારાની આવકવાળા પણ તેનો લાભ લઈ શકે. અંદાજે 10 દિવસનો વધારાનો સમય આપવાની વિચારણા છે. ઘણા લોકોએ આવકના દાખલા કઢાવી લીધા છે. જે લોકોની વધુ આવક છે તેઓને પણ ફોર્મ ભરવાનો ચાન્સ મળે તે માટે સમય વધારવાની પણ વિચારણા છે. 6 લાખની આવક કરવાની વિચારણા છે. 99 ટકા નિર્ણય કરીશું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech