ભોમેશ્વર પ્લોટ શેરી નંબર 12 માં રહેતા રશીદાબેન ગુલાબભાઈ જુણેજા (ઉ.વ 49) દ્વારા પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે આરીફ ઓસમાણ કઇડા, રઘુ અને તેની સાથેના બે અજાણ્યા શખસોના નામ આપ્યા છે.
મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના દિયર વસીમ જુણેજાએ આશરે ચારેક મહિના પૂર્વે આરીફ તથા તેના ભાઈ મોહસીન વિરુદ્ધ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં મારામારી અંગેની ફરિયાદ કરી હતી. જે કેસ હાલ કોર્ટમાં ચાલુ હોય આ કેસમાં સમાધાન કરવા માટે આરીફ અવારનવાર કહેતો હોય પરંતુ ફરિયાદીના દીયર સમાધાન કરતા ન હોય દરમિયાન તારીખ 22/4 ના રાત્રીના દશેક વાગ્યા આસપાસ આરીફે પરાબજારમાં જલારામ ભેળવાળા સાથે મારામારી કરી હતી જેથી ડરના લીધે ફરિયાદીના દિયર તથા દેરાણી બંને અહીં ફરિયાદીના ઘરે આવી ગયા હતા
બાદમાં રાત્રિના પરિવારજનો સુતા હતા ત્યારે દોઢેક વાગ્યા આસપાસ બાલકનીનો કાચ તૂટવાનો અવાજ આવ્યો હતો નીચે જોતા આરીફ તથા તેની સાથેના ત્રણ અજાણ્યા શખસો ઉભા હોય અને તેઓ સોડા બોટલના ઘા કરી ગાળો બોલતા હતા અને કહેતા હતા કે,વસીમે જે મારી સામે જે ફરિયાદ કરી છે તેમાં સમાધાન કરાવી દો નહીંતર કોઈને જીવતા રહેવા નહીં દઉં. જે તે સમયે ઘરે કોઈ પુરુષ હાજર ન હોય ફરિયાદ કરી ન હતી બાદમાં આ મામલે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે આઇપીસીની કલમ 504,506(2), 427,457, 380, 511 મુજબ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવ અંગે વધુ તપાસ પીએસઆઇ એન.વી.હરિયાણી ચલાવી રહ્યા છે.
અત્રે ઉલ્લેનીય છે કે, ગઈકાલે આ મામલે સામાપક્ષે મેરૂબેન ઓસમાણભાઈ કઇડા (ઉ.વ 60 રહે.સલ્મ કવાર્ટર,જામનગર રોડ) દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં આરોપી તરીકે વસીમભાઈ જુણેજા, રમીઝ જુણેજા,આબિદ જુણેજા અને શાહરુખ જુણેજાના નામ આપ્યા હતા. જેમાં વૃદ્ધાએ જણાવ્યું હતું કે, આરોપીઓએ ફરિયાદી તથા તેમના પુત્ર અને આશિફના ઘરમાં કાચની બોટલોના ઘા કરી તેમજ ઘરમાં પ્રવેશ કરી તોડફોડ કરી હતી.આરિફના મકાનમાંથી કબાટમાં રહેલ રોકડ રૂપિયા 17000 તથા એક સોનાનો ચેઇન કિં.રૂ. 20,000 મળી રૂ.37,000 ની ચોરી કરી હતી જે પ્ર.નગર પોલીસે આરોપીઓ સામે રાયોટ, તોડફોડ, ચોરી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech