પોરબંદર જિલ્લાની ત્રણેય આઈ.ટી.આઈ.માં ફોર્મ ભરવાની કાર્યવાહી થઈ શ‚

  • June 11, 2025 02:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર જિલ્લાની ત્રણેય આઈ.ટી.આઈ.માં ફોર્મ ભરવાની કામગીરી શરૂ થઈ છે અને ૩૦ મી જુન સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. 
ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઇ.ટી.આઇ.) પોરબંદર, રાણાવાવ તેમજ કુતિયાણા ખાતે પ્રવેશ વર્ષની ૨૦૨૫ માટેના પ્રથમ રાઉન્ડ માટે પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું કાર્ય પોર્ટલ પર તા. ૩૦.૬.૨૦૨૫ સુધી ચાલુ રહેશે.ઉમેદવારો માટે ખાસ સુવિધા તરીકે આઈ.ટી.આઈ. પોરબંદર, રાણાવાવ તથા કુતિયાણા ખાતે હેલ્પ સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે, જ્યાં ઉમેદવારોને કોઈપણ પ્રકારના ફી વિના પ્રવેશ ફોર્મ ભરવામાં સહાય કરવામાં આવશે. ઉમેદવારો પોતાનું ફોર્મ પોતાના મોબાઈલ ફોન, લેપટોપ કે કોમ્પ્યુટરના માધ્યમથી પણ સરળતાથી ભરી શકે છે.આ અંગે વધુ વિગતવાર માહિતી મેળવવા માટે અથવા સહાય માટે ૯૭૨૭૮૩૪૬૪૪ નંબર ઉપર સંપર્ક કરી શકાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application