ફાઇન પાર્ટિકયુલેટ એર પોલ્યુશન (પીએમ ૨.૫)ના લાંબા ગાળાના સંપર્કમાં પુષોમાં વંધ્યત્વનું જોખમ વધે છે, યારે ટ્રાફિકનો અવાજ ૩૫ વર્ષથી વધુ ઉંમરની ક્રીઓમાં વંધ્યત્વના જોખમને વધારી દે છે. પ્રતિિત જર્નલ બીએમજેમાં પ્રકાશિત થયેલા એક સંશોધન અભ્યાસમાં આ માહિતી આપવામાં આવી છે.
સંશોધકો કહે છે કે સ્વાસ્થ્ય સમસ્યા એ વિશ્વભરમાં વંધ્યત્વનું મુખ્ય કારણ છે, જે ગર્ભ ધારણ કરવાનો પ્રયાસ કરતા સાતમાંથી એક યુગલને અસર કરે છે. કેટલાક અભ્યાસોએ કણોનું વાયુ પ્રદૂષણ અને શુક્રાણુની ગુણવત્તા અને પ્રજનનક્ષમતા સારવાર પછી સફળતા વચ્ચે નબળા જોડાણો શોધી કાઢા છે, પરંતુ પ્રજનનક્ષમતા પરના પરિણામો અચોક્કસ છે. અત્યાર સુધી, પુષો અને ક્રીઓમાં વંધ્યત્વ પર ટ્રાફિકના અવાજની અસરોની શોધ કોઈ અભ્યાસ કરવામાં આવી ન હતી. જેના કારણે આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં જાણવા મળ્યું હતું કે પાંચ વર્ષમાં ૧૦.૨ ડેસિબલ ઐંચા સરેરાશ સ્તરના રોડ ટ્રાફિકના અવાજના સંપર્કમાં ૩૫ વર્ષથી વધુ ઉંમરની મહિલાઓમાં વંધ્યત્વનું જોખમ ૧૪ ટકા જેટલું વધતું જોવા મળ્યું હતું.
સંશોધનના તારણો ૩૦ થી ૪૫ વર્ષની વયના ૫,૨૬,૦૫૬ પુષો અને ૩,૭૭,૮૫૦ ક્રીઓના ડેટા પર આધારિત છે, જેમને બે કરતા ઓછા બાળકો છે અને તેઓ સાથે રહે છે અથવા પરિણીત છે. આ સંશોધન ૨૦૦૦ થી ૨૦૧૭ વચ્ચે ડેનમાર્કમાં રહેતા લોકો પર કરવામાં આવ્યું છે. સંશોધન મુજબ, આ જૂથને એવા સહભાગીઓનો સમાવેશ કરવા માટે પસદં કરવામાં આવ્યો હતો જેઓ સક્રિયપણે ગર્ભધારણ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને વંધ્યત્વનું જોખમ ધરાવતા હતા. તેમાં સગર્ભાવસ્થાને રોકવા માટે સર્જરી કરાવનાર મહિલાઓ અને નસબંધી કરાવનાર પુષોનો પણ સમાવેશ થાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં મહિન્દ્રાના શો રૂમમાં તોડફોડની ઘટના
May 02, 2025 12:50 PMજામનગરના કાલાવડમાં વન નેશન વન ઈલેક્શન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 12:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech