વાવાઝોડાએ સતત ત્રણ કલાકથી વધુ સમય ભાવનગરને ધમરોળ્યુ

  • May 06, 2025 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર શહેર અને જિલ્લામાં સોમવારે સાંજે વૈશાખમાં અષાઢી માહોલ જામ્યો હતો.વા-ઝડી, ગાજવીજ,કરા,સાથે કમોસમી વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયાં હતાં.કુંભારવાડામાં મકાન પર વીજળી પડી હતી.શહેરમાં એક,સિહોરમાં દોઢ ઈંચ વરસાદ,વલભીપુર અને ઉમરાળામાં  ઝાપટા પડ્યા હતા.અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હતી. ભાવનગર શહેરમાં કેટલાક વૃક્ષો ધરાશાઈ થયા હતા.વલભીપુરમાં ઝાપટુ પડયુ હતુ.
દક્ષિણ -પશ્ચિમ રાજસ્થાનમાં સર્જાયેલા ડિસ્ટર્બન્સના કારણે હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાની સાથે ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. ભાવનગર શહેરમાં બપોર સુધી તડકો રહયા બાદ સોમવારે સાંજે વાદળો છવાયા હતા અને વાતાવરણમા પલ્ટો આવ્યો હતો.મીની વાવાઝોડુ ફૂંકાયુ હતું અને ગાજવીજ  સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. રાત્રે ૮ વાગ્યા સુધીમાં ૨૭ મિ.મી. એટલે કે એક ઇંચ વરસાદ પડ્યો હતો.ઠેર ઠેર પાણી ભરાયાં હતાં.આથી વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.  અનેક વિસ્તારોમાં અવારનવાર વીજળી ગુલ થઇ હતી.તો કેટલાક વિસ્તારોમાં કલાકો સુધી વીજળી આવી ન હતી.વીજ કચેરીઓમાં લેન્ડલાઈન ફોન નીચે મુકી દેવામાં આવે છે. કંટાળીને ઘોઘા રોડ મંત્રેશ કોમ્પલેક્ષ વિસ્તારના લોકો હિલડ્રાઇવ વીજ કચેરીએ દોડી ગયા હતા અને હલ્લાબોલ કર્યો હતો.વીજતંત્ર વારંવાર વીજકાપ આપે છે અને કાળઝાળ ગરમીમાં લોકોને ભારે પરેશાન કરે છે,પરંતુ વીજ પુરવઠો સત્વરે  કાર્યરત કરવામાં તદન નિષ્ફળ ગયા હતા. મીની વાવાઝોડાના કારણે કેટલાક વૃક્ષો ધરાશાઈ થયા હતા.જેમાં એસ.પી.કચેરીમાં, પીલગાર્ડન સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.રસ્તા પર વૃક્ષ પડતા રસ્તો બંધ થયો હતો. કટરથી વૃક્ષ કાપી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. ભાવનગર શહેરમાં બપોર સુધી તડકો રહ્યા બાદ સાંજે મીની વાવાઝોડું શરૂ થયું હતું અને ૫૦ કિલોમીટરની ઝડપે પવન ફુંકાયો હતો.અને ધોધમાર વરસાદ પડ્યો હતો.ભારે પવનના કારણે અનેક લોકોના પ્રસંગોમાં મંડપ અને ખુરશીઓ ઉડ્યા હતા.  કુંભારવાડાની અમર સોસાયટીમાં મકાન પર વીજળી પડતા મકાનનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો. જિલ્લાના સિહોર, ઉમરાળા, વલભીપુર તાલુકાના કેટલાક  ગ્રામ્ય પંથકોમાં સાંજના સુમારે પવન અને કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. સિહોરમાં ૩૭ મીમી એટલે કે દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો. આથી ઠેર ઠેર પાણી ભરાયાં હતાં.અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હતી.જ્યારે વલભીપુરમાં અને ઉમરાળામાં ઝાપટા પડતા અનુક્રમે ૫ અને ૩ મિ.મી.  વરસાદ નોંધાયો હતો .કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.ગરમીથી ત્રસ્ત થયેલા લોકોને રાહત મળી હતી.માવઠુ થતા ખેડૂતોને પાકની નુકસાનીની ભિતી છે.ખાસ કરીને કેરીના પાકને નુક્સાન થયું છે.આથી ખેડૂતો ચિંતાગ્રસ્ત બન્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application