પોરબંદરમાં શૌચાલયને ચીતરામણાની નહીં, સમારકામની જરૂર!

  • June 04, 2025 02:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યુ ત્યારથી સરકારીબાબુઓ શહેરને રંગરોગાનના ચીતરામણા કરીને બાહ્ય મેકઅપ કરાવી રહ્યા છે પરંતુ આંતરિક રીતે સુવિધાઓ આપવામાં ઉણા ઉતરી રહ્યા છે તેની સાબિતિ માત્ર રસ્તાઓ ઉપરથી જ નહીં શૌચાલયમાંથી પણ મળી છે જેમાં રાણીબાગ પાછળની ગલીમાં શૌચાલયને પાછળથી ચિત્ર દોરીને સુશોભિત બનાવવામાં આવ્યુ છે પણ અંદરથી તે અત્યંત જર્જરિત છે તેથી સમારકામ કરાવવું જ‚રી બન્યુ છે.
પોરબંદરના રાણીબાગ પાસે હીરાપન્નાવાળી ગલીમાં ખૂણે આવેલ નગરપાલિકાનું શૌચાલય અને મૂતરડી  ઘણા લાંબા સમયથી અત્યંત બીસ્માર હાલતમાં ફેરવાઇ ગયા છે તથા તેના સ્લેબમાંથી પોપડા ખર્યા છે તથા વચ્ચેના ભાગમાંથી ગમે ત્યારે આ શૌચાલયની છત પડે તેવુ જણાઇ રહ્યુ છે. બહારથી સુશોભીત કરવામા આવેલા આ શૌચાલયમાં અંદરથી લોકોના જીવનું જોખમ જણાઇ રહ્યુ છે.ચોમાસામાં કોઇ ગંભીર દુર્ઘટના સર્જાય તેવી પૂરેપૂરી શકયતા જણાઇ રહી છે. 
એ જ રીતે  સરકારને કરોડો ‚પિયાનું હુંડીયામણ કમાવી આપતા માચ્છીમાર ઉદ્યોગને પણ અસુવિધાઓનો સામનો કરવો પડી રહ્યો છે જેમાં ફિશરીઝ ટર્મીનલ વિસ્તારમાં ઘણા લાંબા સમયથી ખૂબજ બિસ્માર બની ગયેલ શૌચાલય તોડી પાડીને નવુ બનાવવા માટેની માંગણી સાગરપુત્રો દ્વારા કરવામાં આવી છે. એક બાજુ તંત્ર જાહેરમાં શૌચક્રિયા કરવાની અને લઘુશંકા કરવાની મનાઇ ફરમાવે છે તો બીજી બાજુ ખુદ તંત્રની બેદરકારીના કારણે  શૌચાલય અને મૂતરડી જર્જરિત બની જતા માચ્છીમારો અંદર પણ થઇ શકે તેવી પરિસ્થિતિ રહી નથી તેથી અહીં પણ ગંભીર અકસ્માત ગમે ત્યારે સર્જાઇ શકે છે.  પોરબંદર મહાનગરપાલિકાના તંત્રએ આ પ્રકારના બિસ્માર શૌચાલય અને મૂતરડીના નવીનીકરણ કરવા જ‚રી બન્યા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application