દેવી-દેવતાઓની પ્રતિમાને કલર કરીને ખંડન કરવાનું દુષકૃત્ય કરાયાનું સામે આવતાં ધાર્મિક લાગણી દુભાઈ
જામનગરના બર્ધન ચોક, સિંધી માર્કેટ વિસ્તારમાં દેવી-દેવતાઓની પ્રતિમાને નુકસાન પહોંચાડી સિંધી સમાજની લાગણી દુભાવવાના બનાવ સામે આજે વેપારીઓએ બંધ પાડીને જિલ્લા પોલીસવડાને આક્રોશભેર આવેદનપત્ર પાઠવ્યું હતું.
જામનગર શહેર બર્ધનચોકમાં ભગવાન શ્રી ઝુલેલાલજીની પ્રતિમા સહિત દેવી-દેવતાઓની પ્રતિમાઓ પર કલર કરી ખંડન કરવાની ચેષ્ટા કોઈ તત્વો દ્વારા કરવામાં આવી હતી. આથી સમાજની ધાર્મિક લાગણી દુભવ્યાના વિરોધમાં સમગ્ર બર્ધનચોક માર્કેટના વેપારીઓ દ્વારા આજે બપોર પછી બંધ પાડી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીએ આવેદન પાઠવવામા આવ્યું હતું અને આ કૃત્ય કરનારને શોધી કાઢીને તેની સામે કડક પગલાં ભરવાની માંગણી કરવામાં આવી હતી. સિંધી કલોથ માર્કેટ એસોસિયેશનનાં સેક્રેટરી કિશોર સંતાણીની આગેવાનીમા આજનો કાર્યક્રમ યોજાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech