કોટડા સાંગાણીમાં રહેતો યુવાન તેના સગામાં થતા બે મિત્રો સાથે ગયા બાદ ભેદી સંજોગોમાં લાપતા બન્યો હતો. બાદમાં તેની લાશ કોટડા સાંગાણી ખોખરી ગામ જવાના રસ્તે પથ્થરની ખાણમાંથી મળી આવી હતી. આ મામલે પોલીસે તપાસ કરતા યુવાન બંને શખસો સાથે કબૂતરનો શિકાર કરવા ગયો હોય દરમિયાન કોઈ બાબતે તેઓની વચ્ચે બોલાચાલી થતા ઝપાઝપીમાં બંને આરોપીઓએ ધક્કો મારી દેતા યુવક ખાણમાં પડી જતા તેનું મોત થયું હતું આ અંગે પોલીસે બંને શખસો સામે સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો નોંધી બંનેની ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, કોટડા સાંગાણીના ખોખરી ગામ જવાના રસ્તે ગોંડલી ડેમ પાસે પથ્થરની ખાણમાંથી કોટડા સાંગાણીમાં જ રહેતા અર્જુન સવશીભાઈ વાઘેલા(ઉ.વ 26) નામના યુવાનની લાશ મળી આવી હતી જે અંગેની જાણ થતા કોટડા સાંગાણી પોલીસે તપાસ શરૂ કરી હતી. મૃતક યુવાન પાંચ ભાઈના પરિવારમાં નાનો હતો અને મજૂરીકામ કરતો હતો યુવાનની સગાઈ થઈ ચૂકી હતી અને ચાર માસમાં લગ્ન થવાના હતા.
આ બનાવ અંગે યુવકના પિતા સવશીભાઈ ભાણાભાઈ વાઘેલા (ઉ.વ 65 રહે. દેવીપુજકવાસ, બિલેશ્વર સ્કૂલની પાછળ, કોટડા સાંગાણી) દ્વારા નોંધાવવામાં આવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે કોટડા સાંગાણીમાં દેવીપુજક વાસમાં જ રહેતા અજય રઘુભાઈ ચારોલીયા અને નિલેશ ઉર્ફે બબુ અમરસિંહ સોલંકીના નામ આપ્યા છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તારીખ 8/10 ના રોજ બંને આરોપીઓ ફરિયાદીના પુત્ર અર્જુનને કબુતરનો શિકાર કરવા માટે સાથે લઈ ગયા હતા. શિકાર કરવા ગયા બાદ કોઈ કારણોસર બંને વચ્ચે બોલાચાલી થતાં બંને આરોપીઓએ અર્જુન સાથે ઝપાઝપી કરી હતી અને આ દરમિયાન અર્જુનને ધક્કો લાગી જતા અર્જુન અહીં પથ્થરની ખાણમાં પડી ગયો હતો જેથી તેનું મોત થયું હતું.
બનાવ બાદ આ બંને શખ્સોને અર્જુન બાબતે પૂછતા તેઓ અર્જુન વિશે જાણતા ન હોવાનું કહ્યું હતું. બાદમાં પરિવારજનોએ પોતાની રીતે તપાસ શરૂ કરી હતી દરમિયાન અર્જુનની લાશ અહીં ખાણમાંથી મળી આવી હતી. જે અંગે પોલીસને જાણ કરાઈ હતી. બીજી તરફ આ બંને શખસો ભાગી ગયા હોય પોલીસે તેને ઝડપી લઇ પૂછતાછ કરતા આ હકીકત સામે આવી હતી.આ મામલે મૃતક યુવાનના પિતાની ફરિયાદ પરથી પોલીસે બંને આરોપીઓ સામે સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે. બનાવ અંગે વધુ તપાસ કોટડા સાંગાણી પોલીસ મથકના પીઆઈ આર.એમ.રાઠોડ ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech