કચ્છમાં અલગ અલગ સ્થળો પર મીઠાના કારખાનાના દબાણો સરકારી જમીનમાં થતાં હોવાની ફરિયાદો ઉઠે છે. ગૌચરની કેટલીક જમીનોની પર આવી સ્થિતિની ફરિયાદ છે. ભચાઉ પંથકમાં સરકારની જમીન ઉપર મીઠાના કારખાનાઓ ગેરકાયદા રીતે ચાલી રહ્યાનો આક્ષેપ કરી તેની સામે પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. કચ્છ માતૃભૂમિ સંગઠન દ્રારા કરવામાં આવેલી નામ જોગ ફરિયાદ પછી હવે સંબંધિત કારખાનેદાર સામે તપાસ કરી સત્ય હકીકત હોય તો પગલાં ભરવાની સાથે અન્ય સામે પગલા ભરવામાં આવે છે કે અગાઉની જેમ જ ભીનું સંકેલાય છે તેની ઉપર આ વિસ્તારના લોકોની નજર છે.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ કચ્છ માતૃભૂમિ સંગઠન દ્રારા મુખ્યમંત્રીને કરવામાં આવેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે ભચાઉ શહેર નજીક આવેલ તળાવની દક્ષિણ દિશામાં સરસ્વતી અને સોમનાથ સોલ્ટ દ્રારા કંડલા પોર્ટ તેમજ રેવન્યુ વિભાગની સરકારી જમીનમાં હજારો એકરમાં દબાણ કરીને ગેર કાયદેસર મીઠાના કારખાના ચલાવી રહ્યાનો આક્ષેપ કર્યેા છે. તેમાં દર વર્ષે લાખો ટન મીઠાનું ઉત્પાદન કરી પોતાની તિજોરી ભરી રહ્યા છે .જો આ બાબત સાચી હોય તો તત્રં માટે શરમજનક ગણી શકાય અને વિલબં વગર તેની સામે સ્થળ નિરીક્ષણ કરાવીને પગલા ભરવામાં આવે તેવી આ વિસ્તારના લોકોની પણ લાગણી છે.
બોકસ મીઠા માફિયાના હાથ લાંબા હોવાથી તત્રં વામણું સૂત્રોના દાવા મુજબ કચ્છના વિવિધ વિસ્તારોમાં મીઠું પકવવામાં આવે છે . દેશનું ૩૦% થી વધુ મીઠાનું ઉત્પાદન કચ્છમાં થાય છે. આ પૈકી કેટલાક મીઠાના કારખાને દારો નિયમ મુજબ પોતાની જમીનમાં મીઠું પકવવાની કાર્યવાહી કરે છે પરંતુ કેટલાક મીઠાના ઉત્પાદકો સામે જે તે સમયે પણ આંગળી ચિધાતી રહી છે અને જમીનમાં દબાણ કરીને મીઠું પકવવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠતી હોય છે. આ બાબતે વન વિભાગ પણ જે તે સમયે શંકાના દાયરામાં આવી ચૂકયું છે. આરક્ષિત વિસ્તારના નામે પણ થતી પ્રવૃતિમાં મામલો પોલીસ ચોપડા સુધી પહોંચી ચૂકયો છે. ગેરકાયદેસર રીતે મીઠાનું પકાવવાની કામગીરી કરતા હોય તેવા લોકો સામે પગલા ભરીને જે નિયમ મુજબ પોતાની જમીન પર મીઠાનું ઉત્પાદન કરે છે તેને રાહત મળે તે માટે પણ તત્રં દ્રારા વિચારવું જોઈએ તેવી પણ લોક લાગણી છે. કેટલાક મીઠા માફિયાના હાથ લાંબા હોવાથી રાજકીય વગ સહિતને લઈને તેની સામે તંત્રને પગલાં ભરવા માટે ઈચ્છા હોવા છતાં ઘુટણીએ પડી જવું પડે તેવી સ્થિતિ ઊભી થતી હોવાની લોકોમાં ચર્ચા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech