મોટાભાગના લોકો ગુરુત્વાકર્ષણ વિશે જાણતા હશે. જ્યારે પણ ગુરુત્વાકર્ષણ બળની વાત થાય છે ત્યારે વૈજ્ઞાનિક ન્યૂટનના ગુરુત્વાકર્ષણ બળના નિયમો યાદ આવે છે. શું જાણો છો કે પૃથ્વી પર દરેક જગ્યાએ ગુરુત્વાકર્ષણ સમાન નથી?
ગુરુત્વાકર્ષણ બળ
મનુષ્યથી લઈને દુનિયાભરની દરેક વસ્તુ ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વીની સપાટી સાથે જોડાયેલી છે. આ ગુરુત્વાકર્ષણ બળના કારણે આપણે પૃથ્વી પર ચાલી શકીએ છીએ. આ સિવાય આપણે જે કંઈ પણ આકાશમાં ઉપરની તરફ ફેંકીએ છીએ તે પણ આ બળને કારણે નીચેની તરફ આવે છે. ગુરુત્વાકર્ષણ મનુષ્ય અને દરેક વસ્તુને પૃથ્વીની સપાટી સાથે જોડી રાખે છે. એવી કેટલીક જગ્યાઓ છે જ્યાં ગુરુત્વાકર્ષણ બળ ખૂબ જ ઓછું છે.
આ સ્થળોએ ગુરુત્વાકર્ષણ બળ ઓછું છે
અમેરિકામાં કેલિફોર્નિયાના સાંતાક્રુઝ શહેરમાં એક રહસ્યમય સ્થળ છે. અહીં એક સ્થળ મિસ્ટ્રી સ્પોટના નામથી પ્રખ્યાત છે. આ રહસ્યમય સ્થળ પર ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય થઇ જાય છે. કેટલાક સંશોધકોએ આ સ્થળની શોધ વર્ષ 1939માં કરી હતી. વર્ષ 1940માં જ્યોર્જ પ્રાથર નામના વ્યક્તિએ તેને સામાન્ય લોકો માટે ખોલ્યું. સંશોધકોએ જણાવ્યું હતું કે જ્યારે તેઓએ આ સ્થળની શોધ કરી ત્યારે તેમને અનુભવ થયો હતો કે આ સ્થાન પર એક વિચિત્ર શક્તિ છે.
આ ઉપરાંત વિશ્વમાં ગુરુત્વાકર્ષણ બળ વિનાના બે સ્થાનો છે, જ્યાં વાહનો ચલાવવાની જરૂર નથી. અહીં વાહનો આપોઆપ પહાડ તરફ ખેંચાઈ જાય છે. પહેલું સ્થાન અમેરિકાના ફ્લોરિડામાં આવેલી સ્પૂક હિલ અને બીજું સ્થાન લદ્દાખ, ભારતનું 'મેગ્નેટિક હિલ' છે. આ સ્થળોએ ગુરુત્વાકર્ષણ બળ બહુ ઓછું હોય છે.
આ સિવાય મહાબલીપુરમમાં એક વિશાળ ગ્રેનાઈટ પથ્થર આવેલો છે, જેને 'કૃષ્ણ બટર બોલ' કહેવામાં આવે છે. કૃષ્ણ બટર બોલ કે વાનીરાય કાલ એક ટેકરી પર આવેલો છે. આ 'ક્રિષ્ના બટર બોલ'ની ઊંચાઈ 20 ફૂટ છે અને તે 5 મીટર પહોળી છે. કૃષ્ણ બોલને જોઈને એવું લાગે છે કે તે ગમે ત્યારે પડી શકે છે પરંતુ આ પથ્થરને હટાવવા માટે છેલ્લા 1300 વર્ષમાં ઘણા પ્રયાસો કરવામાં આવ્યા છે. ખરેખર આ પથ્થર પર ગુરુત્વાકર્ષણની પણ કોઈ અસર થતી નથી. આ સિવાય અમેરિકામાં કોલોરાડો નદી પર બનેલા 'હૂવર ડેમ' નામના ડેમ પર ગુરુત્વાકર્ષણ ખૂબ જ ઓછું છે. આ ડેમ પર ફૂંકાતા જોરદાર પવન હંમેશા નીચેથી ઉપરની તરફ આવે છે અને આ એક કારણ છે કે જો કોઈ વ્યક્તિ બોટલમાંથી પાણી નીચેની તરફ રેડે છે તો તે પાણી પવન સાથે ઉપરની તરફ આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech