દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને જામીન મળી ગયા છે. દેશની સર્વોચ્ચ અદાલતે શુક્રવારે દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં ED અને CBI બંને કેસમાં તેમને નિયમિત જામીન આપ્યા હતા.
આ સાથે કોર્ટે મનીષ સિસોદિયાને જામીન આપતાં ઘણી શરતો મૂકી છે પરંતુ તેમને મુખ્યમંત્રી કાર્યાલય કે દિલ્હી સચિવાલય જવાથી રોક્યા નથી. આ સમય દરમિયાન કોર્ટે એક મહત્વપૂર્ણ ટિપ્પણી પણ કરી, જે અન્ય કેસોમાં પણ સીમાચિહ્નરૂપ બનશે.
જસ્ટિસ બીઆર ગવઈની મહત્વપૂર્ણ ટિપ્પણી
જસ્ટિસ બીઆર ગવઈએ ગયા ઓક્ટોબરમાં સિસોદિયાને ફરીથી જામીન અરજી દાખલ કરવા માટે આપવામાં આવેલી છૂટનો પુનરોચ્ચાર કરતા કહ્યું કે આ કોર્ટે પોતે જ અરજદારને તેની અરજીને પુનર્જીવિત કરવાની સ્વતંત્રતા આપી છે. હવે તેમને ફરીથી ટ્રાયલ માટે મોકલવાનો અર્થ એ થશે કે અમે તેમને સાપસીડીની રમત રમવા માટે કહી રહ્યા છીએ.
નાગરિકને ભટકતા ન છોડી શકાય. 4 જૂનના આદેશમાં કહેવાયું હતું કે તે મેરિટમાં નથી જતું. કોર્ટે એસજીની ખાતરી સ્વીકારી હતી કે તપાસ પૂર્ણ કરવામાં આવશે અને 3 જુલાઈ પહેલા ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.
આ ન્યાયની મજાક હશે...
જસ્ટિસ ગવઈએ વધુમાં કહ્યું હતું કે જો અમે અરજદારને ટ્રાયલ કોર્ટમાં પાછા મોકલીએ તો તે ન્યાયની મજાક હશે. અમે પીએમએલએની કલમ 45ને ધ્યાનમાં રાખીએ છીએ. ઑક્ટોબર 2023માં, તે જ કોર્ટે કહ્યું હતું કે જો સુનાવણીમાં વિલંબ થશે તો આ કરવામાં આવશે.
જસ્ટિસ ગવઈએ વધુમાં કહ્યું કે પ્રશ્ન એ છે કે નીચલી અદાલત અને હાઈકોર્ટે ટ્રાયલમાં વિલંબને ધ્યાનમાં લીધો કે નહીં. અમારા મતે આ કરવામાં આવ્યું ન હતું.
ટ્રાયલ કોર્ટે અરજદારની દલીલને ધ્યાનમાં લીધી ન હતી કે તે ટ્રાયલમાં વિલંબ માટે જવાબદાર નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech