ભાવનગરમાં સતત માવઠાના મારથી હજારો ટન મીઠુ ધોવાયું

  • May 10, 2025 04:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગરમાં છેલ્લા દિવસોથી પડી રહેલા કમોસમી વરસાદના કારણે મીઠા ઉધોગને ભારે નુકસાન થયું છે ભાવનગરમાં આવેલા મીઠાના કારખાનાઓમાં માવઠાથી હજારો ટન મીઠું ધોવાઈ ગયું છે. ભાવનગરમાં છેલ્લા દિવસોથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. ભારે પવન સાથે પડી રહેલા વરસાદથી ભાવનગરમાં આવેલા મીઠાના ૩૦થી પણ વધુ  કારખાનાઓમાં ૨૫% જેટલું નુકસાન થયુ છે. હજુ પણ જો વરસાદ પડવાનો ક્રમ શરૂ રહ્યો તો કારખાનાઓ બંધ કરી  દેવાની નોબત આવી પડે તેવી ભીતિ સેવાઈ રહી છે.   મીઠાના ઉત્પાદનની આ સિઝન ફ્લોપ રહે અનેભનવી સિઝનની રાહ જોવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.  ભાવનગરમાં મીઠાના અનેક યુનિટો છે. હાલમાં પાકેલું મીઠું ક્યારામાંથી ઉપાડી લઈ તેના પ્રક્રિયા કરી સ્ટોક કરવાનું કામ ગતિમાં છે. તેમજ તેનું વિતરણ કરવાનું હોય છે ત્યારે અચાનક શરૂ થયેલા માવઠાના દોરથી  મીઠાના ઉધોગને ખૂબ જ ભારે અને મોટું નુકસાન થઈ રહ્યું છે. ભાવનગરમાં માવઠાને કારણે હજારો ટન મીઠું ધોવાઈ ગયું છે. જે મીઠાનું પુરવઠો સ્ટોક કરી નાખ્યો હોય છે.તે મીઠું કાળું પડી જાય તો પણ નુકસાની થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News