પ્લોટ-૫૮માં દરોડો : ૧૦ હજારની મત્તા કબ્જે
જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી જાહેરમાં ઘોડીપાસા વડે હારજીતના જુગાર રમી રહેલા ત્રણ શખ્સોની અટકાયત કરી ૧૦ હજારની મત્તા જપ્ત કરવામાં આવી છે જયારે એક શખ્સ રફુચકકર થઇ ગયો હતો.
જામનગરના સિટી-એ. ડિવિઝનના પીઆઇ ચાવડાની સુચનાથી પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ચોક્કસ બાતમી મળી હતી, કે જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં શેરી નંબર ૫૮માં કેટલાક શખ્સો જાહેરમાં ઘોડીપાસા વડે જુગાર રમી રહ્યા છે.
જે બાતમીના આધારે દિ.પ્લોટ ૫૮ના મહેશ ઉર્ફે ભૂરો નંદલાલ મલકાણી, દિ.પ્લોટ ૪૯માં રહેતા માધવજી ઉર્ફે માધિયો અરજણ ચાંદ્રા, અને કિશોર દયાળજી મંગેની અટકાયત કરી લઈ તેઓ પાસેથી ૧૦,૧૯૦ ની રોકડ રકમ અને ઘોડીપાસા કબજે લીધા હતા.
આ દરોડા દરમિયાન શેરી નંબર ૫૮માં રહેતો અશોક ઉર્ફે પપી કાકુભાઈ ભદ્રા નામનો શખ્સ ભાગી છુટ્યો હોવાથી તેને ફરારી જાહેર કરી. શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMજામનગરમાં મોમાઈનગરમાં મકાનોને નોટિસ પાઠવવામાં આવતા મનપામાં રજુઆત
May 03, 2025 06:40 PMલાખોટા તળાવ ખાતે ઘણા લાંબા સમયથી બંધ રહેલ માછલીઘર મુલાકાતીઓ માટે ફરીથી ખુલ્લું મુકાયું
May 03, 2025 05:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech