સાવરકુંડલામાં કરૂણાંતિકાનો બનાવ સામે આવ્યો છે. અહીં ભેંસણિયા ડેમમાં ત્રણ બાલકો ન્હાવા પડ્યા હતા. જેમાં બે બાળકના કરૂણ મોત થયા છે અને એકનો બચાવ થયો છે. આ બનાવથી મૃતક બાળકોના પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.
મૃતક બાળકોના નામ
કૃણાલ અશ્વિનભાઈ સોલંકી (ઉં.વ. 14)
મંત્ર રાજદીપભાઈ મસરાણી (ઉં.વ. 10)
બચાવ થયો તે બાળકનું નામ
મોહિત મનીષભાઈ સોલંકી (ઉં.વ.13)
મળતી માહિતી મુજબ, સાવરકુંડલામાં ભેંસણિયા ડેમમાં ત્રણ બાળક નાહવા પડતાં બેનાં કરુણ મોત, એકનો આબાદ બચાવ થયો છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા નજીક આકાશી મેલડી મંદિર પાસે આવેલા ભેંસણિયા ડેમમાં ત્રણ બાળક નાહવા પડતાં દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં બે બાળકનાં કરુણ મોત થયાં છે, જ્યારે એક બાળકનો આબાદ બચાવ થયો છે.
સ્થાનિક તરવૈયા અને ફાયર ટીમની કામગીરી
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તરવૈયા અને ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ડૂબેલાં બે બાળકોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા અને 108 એમ્બ્યુલન્સ મારફત સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા.
પરિવારજનોનું હૈયાફાટ રુદન
મૃતક કૃણાલના ફઈને આઘાત લાગતાં તેમણે પોતાના માથા પર પથ્થર મારીને પોતાને ઇજાગ્રસ્ત કરી લીધાં હતાં. સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં પરિવારજનોના હૈયાફાટ રુદનભર્યાં દૃશ્યો સર્જાયાં હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસંતો મહંતો અને આગેવાનોની ઉપસ્થિતિમાં રથયાત્રા કાર્યાલયનું ઉદ્દઘાટન અને ધ્વજારોહણવિધિ સંપન્ન
June 02, 2025 04:54 PMઓપરેશન શિલ્ડ અંતર્ગત ભાવનગરના સિદસર વિસ્તારમાં રાત્રે અંધારપટ કરાયો
June 02, 2025 04:51 PMમોકડ્રિલ:સેન્ટ્રલ સોલ્ટમાં ડ્રોન હુમલો અને બોમ્બ બ્લાસ્ટમાં ૪ના મોત
June 02, 2025 04:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech