ગીર સોમનાથ જિલ્લ ાનો ફોર ટ્રેક હાઈવે આજે વધુ એક વખત રકત રંજિત બન્યો હતો કોડીનાર ઉના હાઇવે પર ડોળાસા નજીક ટ્રક અને કારની વચ્ચે થયેલા અકસ્માતમાં ત્રણ યુવાન મિત્રોના ઘટના સ્થળે કમ કમાટી ભર્યા મૃત્યુ નીપયા હતા યારે અન્ય એકને ગંભીર હાલતમાં સારવાર માંટે ખસેડાયો હતો. તેઓ ડીવાઈડર તોડીને રકતરંજીત બન્યો હતો. વિગત પ્રમાણે વેરાવળ અને સુત્રાપાડા પંથકનાં ચાર મિત્રો આજે તેમની કારમાં વેરાવળ તરફ આવી રહ્યાં હતાં ત્યારે કોડીનાર– ડોળાસા હાઈવે પર આવેલા પેટ્રોલ પપં સામે ડિવાઈડર તોડીને ગેરકાયદે રીતે કાઢેલા રસ્તામાંથી પસાર થવા જતાં પુર ઝડપે નીકળેલા ટ્રકે ઠોકર મારી દીધી હતી. જેથી કારનો સાવ બુકડો બોલી ગયો હતો.
આ અકસ્માતમાં સુત્રાપાડાનાં પીયુષ લખમણભાઇ રામ (ઉ.વ.૨૮), ભાલપરા ગામનાં ઉદય દેવાતભાઈ વાઢેર (ઉ.વ.૨૧) અને મેઘપુર ગામનાં જેસાભાઈ ગોવિંદભાઈ રામ (ઉ.વ.૩૫)ને ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજયાં હતાં. જયારે અન્ય એક મિત્ર પાદકા ગામનાં હિતેષ આહીર (ઉ.વ.૨૭)ને ગંભીર ઈજા પહોંચી હોવાથી સારવાર માટે ૧૦૮ દ્રારા રા.ના.વાળા હોસ્પિટલ કોડીનાર ખાતે લઈ આવવામાં આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર છે આગળ લઈ જવામાં આવ્યા છે. યારે ત્રણેય મૃતકોને કોડીનાર સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ અર્થે લાવવામાં આવ્યા હતા. ગત રાત્રે ૧૦.૩૦ વાગ્યાનાં અરસામાં સર્જાયેલા અકસ્માતની જાણ થતાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડ,પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી તેમજ પૂર્વ નગરપાલિકા પ્રમુખ શિવાભાઈ સોલંકી સહિત મૃતક યુવાનનાં પરિવારજનો અને સંબંધીઓ તેમજ આહીર સમાજના યુવાનો મોટી સંખ્યામાં સરકારી હોસ્પિટલ કોડીનાર ખાતે દોડી આવ્યા હતાં. આ સાથે આહિર સમાજ માં શોકનું મોજુ ફરી વળ્યું હતું
પીએમ મોડું થતાં રોષ
નિયમ મુજબ સૂર્યેાદય પહેલા પીએમ થઈ શકે તેમ ન હોય વહેલી સવારે સાત વાગે પીએમ કરવાને બદલે સવારે નવ સુધી પીએમ નહીં થતાં પરિવારજનોમાં રોષ વ્યાપ્યો હતો જોકે આ બાબતે સ્થાનિક આગેવાન દિલીપસિંહ મોરી એ પણ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી અને ફરજમાં બેદરકારી દાખવનાર ડોકટર તેમજ સ્ટાફ સામે પગલાં લેવા પણ માંગ કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech