રાજકોટમાં સોપારીના સુડાથી ગરદન કાપી ટિફિનના ધંધાર્થીનો આપઘાત

  • April 27, 2024 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના રાજપૂતપરામાં રહેતા ટિફિનના ધંધાર્થીએ સોપારી કાપવાના સુડા વડે ગરદન કાપી આપઘાત કરી લેતા ભારે અરેરાટી ફેલાઇ જવા પામી હતી.પ્રૌઢ પર અંદાજિત રૂપિયા ૧૫ લાખનું દેણું થઈ ગયું હોય તેની ચિંતામાં તેમણે આ પગલું ભરી લીધું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.
આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,શહેરના રાજપૂતપરા શેરી નંબર–૨ માં રહેતા અને ટિફિનનો ધંધો કરનાર રાજેશભાઈ બટુકભાઈ ચૌહાણ (ઉ.વ ૫૮)એ ગઈકાલ સાંજે ઘર નજીક રહેતા અને સોપારી કાપવાનું કામ કરતા મિત્રની ઓરડીએ ગયા હતા. યાં તેમણે મિત્રને પૈસા આપી ચા લવવા માટે મોકલી દીધા હતાં.બાદમાં પોતે ઓરડીમાં સોપારી કાપવાના સુડા વચ્ચે ગરદન રાખી કાપી નાખી હતી. મિત્ર ચા લઇ ઓરડીઅ આવતા અહીં લોહીના ખાબોચિયા જોઇ તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. બાદમાં તેમણે તુરતં પ્રૌઢના પરિવારજનોને જાણ કરી હતી.


બનાવના પગલે એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ અહીં દોડી આવ્યો હતો એસીપી પણ વિઝિટમાં આવ્યા હોય તેથી તેઓ પણ અહીં પહોંચી ગયા હતા. લોહી લુહાણ હાલતમાં રાજેશભાઈને હોસ્પિટલમાં ખસેડાયા હતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આપઘાત કરી લેનાર રાજેશભાઈ છેલ્લા ઘણા સમયથી ઘરે ટિફિન બનાવવાનું કામ કરતા હતા જેમાં તેમના પત્ની અને પુત્ર પણ મદદપ થતા હતા. તેમને સંતાનમાં એક પુત્રી પણ છે જે લ થઇ ગયા હોય અને હાલ તે સાસરીયે છે.

બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ આર.જી.બારોટ જણાવ્યું હતું કે, પોલીસની પ્રાથમિક તપાસમાં એવી હકીકત સામે આવી છે કે, રાજેશભાઈએ લોન લીધી હતી આ ઉપરાંત ક્રેડિટ કાર્ડ પણ હતા જે તમામનું મળી તેમના પર અંદાજિત પિયા ૧૫ લાખનું દેણું થઈ ગયું હતું. જેના કારણે તેઓ સતત ચિંતામાં રહેતા હતા આજ કારણોસર તેમણે આ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application