પોરબંદરમાં મહાનગરપાલિકાનું તંત્ર દરરોજ સરેરાશ ૧૦૦ જેટલી સ્ટ્રીટલાઇટના સમારાકામ કરી રહ્યુ છે તેથી ચર્ચા એવી ચાલી રહી છે કે હલ્કી ગુણવત્તાવાળી હોવાના કારણે લાઇટો બગડી રહી છે અને મનપા પોતાની કામગીરીનો દેખાડો કરી રહ્યુ છે તેથી તે અંગે તપાસ કામ કરવી જરી બની છે.
૨૯૮ સ્ટ્રીટલાઇટના સમારકામ
કમિશ્નર તથા નાયબ કમિશ્નર (પ્રોજેકટ)ની સુચનાથી ઇલેકટ્રીક વિભાગ દ્વારા છાયા તથા રાંધાવાવ, સાન્દીપનિ વિસ્તાર, નવીખડપીઠ, ઝુંડાળા, કોળીવાડ, નારવાડો, વોરાવાડ બોખીરા, જ્યુબેલી, ભાટીયાબજાર, કુંભારવાડો, ખાડી વિસ્તાર, ખાપટ જેવા અનેક વિસ્તારોમાં કુલ ૯૩ સ્ટ્રીટલાઇટોનું રીપેરીંગ કરવામાં આવ્યુ. તથા છાયા તથા કડીયાપ્લોટ, મીલપરા, વાઘેશ્ર્વરીપ્લોટ, વાડીપ્લોટ, નરસંગ ટેકરી, સીતારામનગર, કમલાબાગ, ઇન્દરાનગર, ખાપટ, વનાણા, ખારવાવાડ જેવા અનેક વિસ્તારોમાં કુલ ૧૦૪ સ્ટ્રીટલાઇટોનું રીપેરીંગ કરવામાં આવેલ છે.તે ઉપરાંત કડીયાપ્લોટ, મીલપરા, રાવલીયાપ્લોટ, વાડીપ્લોટ અવિનાશ સોસાયટી, એરપોર્ટ આંબેડકર નગર , ધરમપુર વિસ્તાર, કમલાબાગ, ઝુરીબાગ, લાલ પેલેસ વિસ્તાર, ખાપટ, ખારવાવાડ જેવા અનેક વિસ્તારોમાં કુલ ૧૦૧ સ્ટ્રીટલાઇટોનું રીપેરીંગ કરવામાં આવેલ છે.
પાઇપલાઇનના સમારકામ
વોટર વર્કસ વિભાગ દ્વારા વોર્ડ નં. ૧ થી ૧૩માં સુપરવિઝન કરવામાં આવેલ જેમાં શિવમ સોસાયટી વિસ્તારમાં વાલ્વ રીપેરીંગ અને સુભાષનગર વિસ્તામાં પાણીનો ટાંકો સાફ કરાવવામાં આવેલ છે.તથા રમણપાર્ક, માધવબંગલોની સામે, સૂરજપાર્ક વિસ્તારમાં પાણીની પાઇપલાઇન રીપેરીંગ અને સુરુચી સ્કૂલ પાસે વાલ્વ રીપેરીંગ અને સુભાષનગર વિસ્તારમાં પાણીનો ટાંકો સાફ કરાવવામાં આવેલ છે. તથા ઓમનગર, રેલ્વેફાટક પાસે, જનકપુરી સોસાયટી, કર્મચારી સોસાયટી ખાપટ વિસ્તારમાં પાણીની પાઇપલાઇનના રીપેરીંગ અને બોખીરા આવસામાં નવી મોટર ફીટીંગની કામગીરી કરવામાં આવી.
કલીનીંગ અને સફાઇ અભિયાન
ગાર્ડન વિભાગ દ્વારા પાળીબાગ, કમલાનેહરુ પાર્ક, રાણીબાગ, ચોપાટી વિલ્લા ગાર્ડન, વાડીપ્લોટ શાકમાર્કેટ ગાર્ડન, નાગાર્જુન સિસોદીયા ગાર્ડન, વનાળા ગાર્ડન જેવા અનેક ગાર્ડનની સફાઇ તેમજ છાયા રામરાજ સોસાયટી વૃક્ષોની નડતરપ ડાળીઓનું ટ્રીમીંગ કરવામાં આવેલ છે. તથા મહારાણાનટવરસિંહજી બાગની સફાઇ તેમજજ કડીયાપ્લોટ અને લાલ પેલેસ રોડ કુમકુમ કોલોની વિસ્તારમાં વૃક્ષોની નડતરપ ડાળીઓનું ટ્રીમીંગ કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech