આફ્રિકન દેશ નાઈજીરિયામાં એક મોટો અકસ્માત થયો છે. નાઈજીરિયામાં ઈંધણના ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો, જે બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં 48 લોકોના મોત થયા હતા. રવિવારે ઉત્તર મધ્ય નાઇજીરીયામાં એક વાહન સાથે અથડાયા બાદ બળતણ ટેન્કર વિસ્ફોટ થયો હતો, જેમાં 48 લોકો માર્યા ગયા હતા, એમ રાજ્યની આપત્તિ વ્યવસ્થાપન એજન્સીએ જણાવ્યું હતું. દેશની ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીએ જણાવ્યું કે, ઈંધણ ટેન્કર મુસાફરો અને પશુઓને લઈ જતી ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ અન્ય ઘણા વાહનો પણ રોડ પર ફસાઈ ગયા હતા.
ઈંધણના ટેન્કર બ્લાસ્ટમાં 48ના મોત
એજન્સીના પ્રવક્તા હુસૈની ઈબ્રાહિમે મૃત્યુઆંક 48 જણાવ્યો હતો અને અધિકારીઓ હજુ પણ સ્થળને સાફ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. નાઇજીરીયાની સરકારી માલિકીની કંપની NNPC લિમિટેડે ગત અઠવાડિયે ગેસોલિનના ભાવમાં ઓછામાં ઓછો 39% વધારો કર્યો હતો, જે એક વર્ષમાં બીજો મોટો વધારો છે. દેશના મોટા શહેરો અને નગરોમાં વાહનચાલકોને કલાકો સુધી કતારોમાં ઉભા રહેવું પડે છે.
નાઇજીરીયામાં ટ્રક અકસ્માતો સામાન્ય છે
નાઈજર રાજ્યના ગવર્નર મોહમ્મદ બાગોએ કહ્યું કે અસરગ્રસ્ત વિસ્તારના રહેવાસીઓએ શાંત રહેવું જોઈએ. તેમણે લોકોને જીવ અને જાનમાલની સલામતી માટે હંમેશા સતર્ક રહેવા અને રોડ ટ્રાફિક નિયમોનું પાલન કરવા જણાવ્યું હતું.
માલસામાનના પરિવહન માટે સક્ષમ રેલ્વે વ્યવસ્થાની ગેરહાજરીને કારણે આફ્રિકાના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ નાઇજીરીયામાં મોટા ભાગના મુખ્ય રસ્તાઓ પર ટ્રક અકસ્માતો સામાન્ય છે.
2020માં 1,531 ગેસોલિન ટેન્કર અકસ્માતો થયા હતા
નાઈજીરિયાના માર્ગ સલામતી અહેવાલ મુજબ, એકલા 2020 માં 1,531 ગેસોલિન ટેન્કર અકસ્માતો થયા હતા. આ અકસ્માતોમાં 535 લોકોના મોત થયા હતા અને 1,142 લોકો ઘાયલ થયા હતા. એક રિપોર્ટ અનુસાર, નાઈજીરિયામાં રસ્તાઓ ખૂબ જ ખરાબ છે અને તેના કારણે ત્યાં રોડ અકસ્માતો સામાન્ય છે. આ સિવાય નાઈજીરિયામાં ડ્રાઈવરો પણ ખૂબ જ બેદરકારીથી ટ્રક ચલાવે છે જે અકસ્માતોનું મુખ્ય કારણ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech