ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે તાજેતરમાં એક મહત્વપૂર્ણ અધિસૂચના બહાર પાડી છે, જેના દ્વારા મામલતદાર વર્ગ-૨ સંવર્ગના અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી છે. આ અધિસૂચના તા.૦૯.૦૧.૨૦૨૫ના રોજ ક્રમાંક: નમક/૧૦૨૦૨૫/૨/ડી.૧ હેઠળ જાહેર કરવામાં આવી છે.
આ ઉપરાંત, મહેસૂલ વિભાગ દ્વારા તા.૨૮/૧૦/૨૦૨૪ની અધિસૂચના ક્રમાંકઃ નમક-૧૦૨૦૨૪-૨-ડી.૧ માં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે, શ્રી મહેશ ગોહેલ, મામલતદાર, ધ્રાંગધ્રા, જિ.સુરેન્દ્રનગરની બદલીના હુકમમાં ફેરફાર કરીને તેઓને મામલતદાર, ગાંધીનગર તરીકે નિમણૂંક આપવામાં આવી છે.
અધિસૂચના મુજબ, મહેસૂલ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના મામલતદાર, વર્ગ-૨ (પે સ્કેલ- રૂ. ૪૪,૯૦૦-૧,૪૨,૪૦૦, પે મેટ્રિક્સના લેવલ-૮)માં ફરજ બજાવતાં અમુક અધિકારીઓની જાહેર હિતમાં બદલી કરવામાં આવી છે અને તેઓને તેમના નામ સામે દર્શાવેલ જગ્યા પર તાત્કાલિક અસરથી નિમણૂંક આપવામાં આવી છે.
શ્રી બાબુભાઈ માધવલાલ પટેલ, નાયબ મામલતદારની બઢતીના હુકમમાં પણ આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે અને તેઓને મામલતદાર, રીકવરી, કમિશનર હેલ્થ એન્ડ મેડીકલ સર્વિસીસ, ગાંધીનગર તરીકે બઢતીથી નિમણૂંક આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech