એસડીએમ, ડિવાયએસપી, મામલતદાર, પીઆઇ, જિલ્લા ભાજપ અધ્યક્ષ સહિત ગ્રીન ખંભાળિયા ટીમ સાથે વૃક્ષારોપણ
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે ખંભાળીયા ખાતે રેલ્વે સ્ટેશન સામે રેલ્વે ક્વાર્ટરમાં ગ્રીન ખંભાળીયા ટિમ અને એસડીએમ, ડિવાયએસપી, મામલતદાર, પીઆઇ, જિલ્લા ભાજપ અધ્યક્ષ સહિત સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વૃક્ષોનું વાવેતર ઉછેરવાની નેમ સાથે કરવામાં આવ્યું હતું.
વિશ્વ પર્યાવરણ દિવસ દર 5 જૂને સમગ્ર વિશ્વમાં વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે પર્યાવરણના રક્ષણ અને ઉપરાંત પ્રકૃતિ વગર માનવ જીવન શક્ય નથી. આ દિવસે ખંભાળીયા ખાતે ગ્રીન ખંભાળીયા ટિમ દ્વારા વૃક્ષોનું ઉછેરની જવાબદારી સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ તકે પ્રાંત અધિકારી કરમટા, ડીવાયએસપી માનસતા, મામલતદાર વિક્રમ વરુ, પીઆઈ સરવૈયા, દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, ડૉ. અમિત નકુમ, ગ્રીનખંભાળિયાના પત્રકાર પરબતભાઈ ગઢવી, ઇન્દ્રજીતસિંહ પરમાર, કિરીટભાઈ મજીઠીયા, કિશોરભાઈ ભાયાણી, જિલ્લા ભાજપ મહામંત્રી ભરતભાઈ ગોજીયા, મંત્રી રાજુભાઈ સરસીયા, શહેર ભાજપ પ્રમુખ મીલનભાઈ કિરતસાતા, મહામંત્રી હસુભાઈ ધોળકિયા, અગ્રણી અશોકભાઈ કાનાણી, જસવંતસિંહ જાડેજા, નીતિનભાઈ પિઠીયા, રામભાઈ માતંગ, રેલ્વેના અધિકારી ઉમાશંકર અને રવિકુમાર ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ખંભાળીયા શહેર અને આજુબાજુ વિસ્તારને હરિયાળું બનાવાની નેમ સાથે ગ્રીન ખંભાળીયા સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. છેલ્લા એક વર્ષમા ગ્રીન ખંભાળિયા દ્વારા ખંભાળીયામાં અલગ અલગ જગ્યાઓમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. ખંભાળીયામાં છેલ્લા એક વર્ષમાં 60 લાખથી વધુ ખર્ચે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech