વાળ ખરવા એ એક સામાન્ય સમસ્યા છે પરંતુ જો વધુ પડતા વાર ખરે તો તે ટાલ પડવાની નિશાની છે. વાળ ખરવાના લીધે વાળનો વિકાસ થતો નથી તો તેનો ઉપાય કરવો જરૂરી છે. ઘરેલું ઉપચાર વાળ ખરવાની સમસ્યાને ઘટાડી શકે છે. વાળ ખરવા માટે પણ લસણ એક અસરકારક ઘરેલું ઉપાય છે. લસણની મદદથી વાળનો ગ્રોથ વધારી શકાય છે.લસણનું પાણી વાળ ખરવાની સમસ્યાને ઓછી કરે છે.
વાળ ખરવા માટે લસણનું પાણી અસરકારક છે
લસણમાં એલિસિન કમ્પાઉન્ડ હોય છે જે એન્ટી બેક્ટેરિયલનું કામ કરે છે. લસણના પાણીની મદદથી વાળ ખરવાની સમસ્યા પણ ઓછી કરી શકાય છે. એલિસિન વાળના ફોલિકલ્સને ઉત્તેજિત કરે છે. જેના કારણે વાળ ઝડપથી વધે છે અને વાળ ખરવાનું પણ બંધ થાય છે. પરંતુ જો લસણને સીધા માથાની ચામડી પર ઘસવામાં આવે તો તે બળતરા પેદા કરી શકે છે. તેમજ લસણની ગંધ વાળમાં રહેશે. તેથી, લસણને ખાસ રીતે લગાવો.
વાળ ખરવા માટે લસણના પાણીનો ઉપયોગ કેવી રીતે કરવો
સૌ પ્રથમ, એક લસણને ક્રશ કરો અને કાચની બોટલમાં 50 મિલી પાણી ભરો અને તાજું છીણેલું લસણ ઉમેરો. પછી આ પાણીને તડકામાં અથવા ગરમ જગ્યાએ બે દિવસ રાખો અને પછી તેને સ્પ્રે બોટલમાં નાખી દો. જ્યારે પણ વાળ ધોવા જાવ તે પહેલા આ સ્પ્રેને તમારા વાળના મૂળમાં બેથી ત્રણ કલાક લગાવો અને પછી વાળ ધોઈ લો. જો લસણના પાણીની ગંધ વાળમાંથી દૂર ન થાય તો તેમાં 2 ટીપા લીંબુનો રસ નાખો.
લસણમાં રહેલું એલિસિન કમ્પાઉન્ડ તરત જ ઊડવાનું શરૂ કરે છે. તેને સાચવવા માટે, લસણને ક્રશ કર્યા પછી તરત જ પાણીમાં નાખો. જેથી તેઓ પાણીમાં સક્રિય રહે. લસણનું આ પાણી વાળ ખરવા, તૂટવા, ખોડો વગેરે જેવી સમસ્યાઓથી લડવામાં મદદ કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech