દેશમાં ટ્રેન દુર્ઘટનાઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. હજુ તો એકની તપાસ ચાલી રહી હોય ત્યાં બીજી ઘટના સામે આવી જ ગઈ હોય તેવો તાલ ઘડાયો છે.
ઝારખંડમાં બોકારો ગોમો ટ પરથી પસાર થતી માલગાડીના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા જેના પગલે વંદે ભારત સહિત અનેક ટ્રેનો અટકાવી દેવામાં આવી હતી. વારાણસીથી રાંચી જતી વંદે ભારત ટ્રેનને ચંદ્રપુરા રેલવે સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી. આ અકસ્માતને કારણે લગભગ એક ડઝન અપ–ડાઉન ટ્રેનોની કામગીરી ખોરવાઈ ગઈ છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. અકસ્માતના કારણોની પણ તપાસ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ તમામ લોકલ ટ્રેનો રાબેતા મુજબ ચાલી રહી છે. મુખ્ય લાઇન પર મેલ એકસપ્રેસની અવરજવરમાં ફેરફાર અને કેટલીક સાવચેતીના કારણે ૩–૪ મિનિટનો વિલબં થયો છે. આ ઘટનાને કારણે આઠ ટ્રેનની અવરજવર ખોરવાઈ હતી. અનેક ટ્રેનને રોકી દેવાઈ હતી તો અમુક ટ્રેનના રૂટ ડાઈવર્ટ કરાયા હતા.
ટ્રેન અકસ્માતો અટકવાનું નામ નથી લઈ રહ્યા
તાજેતરમાં પણ ઘણી જગ્યાએથી ટ્રેન પાટા પરથી ઉતરી જવાની માહિતી સામે આવી હતી. આવા સમાચાર ગુજરાત, મધ્યપ્રદેશ, મથુરાથી આવ્યા છે. કેટલીક જગ્યાએ જાણીજોઈને ટ્રેનને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, યારે કેટલીક જગ્યાએ તાળીઓના લોભમાં રેલવે કર્મચારીઓએ પહેલા ટ્રેકને નુકસાન પહોંચાડું હતું અને પછી તેનું સમારકામ કયુ હતું.પહેલા ગુજરાતના સુરતમાં ટ્રેનને પાટા પરથી ઉતારવાનું કાવતં ઘડવામાં આવ્યું હતું. તે પછી પંજાબના ભટિંડામાં પણ કંઈક આવું જ જોવા મળ્યું. ટ્રેન પાટા પરથી ઉતરવાના હેતુથી રેબરને ટ્રેક પર મૂકવામાં આવ્યો હતો. જોકે, ચાલકની બુદ્ધિમત્તાના કારણે મોટો અકસ્માત ટળી ગયો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના દરેડ ગામમાં બનશે સૌથી મોટું પરશુરામ ધામ
May 03, 2025 01:11 PMNEETની પરીક્ષા પહેલા કૌભાંડની આશંકા, NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકીનું નિવેદન
May 03, 2025 01:05 PMસાવરકુંડલાની સગીરા સાથે રીબડાના યુવકે દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ
May 03, 2025 01:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech