રાજકોટ ગોંડલ રોડ પર શાપરમાં કિશાન ગેઈટ પાસે બોલેરોએ બાઇકને ઠોકરે લેતા બે સગા ભાઈઓના કમકમાટીભર્યા મોત નિપયા હતા. બનાવની જાણ થતાં શાપર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને જરી કાર્યવાહી કરી હતી.રાજકોટ–ગોંડલ રોડ પર શાપર, મેટોડા, વાવડી નજીક અનેક વખત જીવલેણ અકસ્માત સર્જાયા છે. એમ છતાં ટ્રાફિક પોલીસ અને આરટીઓ તત્રં દ્રારા ઠોસ કામગીરી કરવાને બદલે ડ્રાઈવ યોજી માત્ર ટાર્ગેટ પુરા કરવા પૂરતી સીમિત કામગીરી કરવામાં આવી રહી છે. જેને કારણે વારંવાર આ રોડ પર અકસ્માતમાં લોકો જીવ ગુમાવી રહ્યા છે.
પ્રા વિગત મુજબ, મૂળ યુપીના હાલ ગોંડલ રોડ પર વાવડીમાં રહેતાં વિરબહાદુર દિનદયાલ વર્મા (ઉ.વ.૩૫) અને તેનો નાનો ભાઈ ચંદ્રપ્રકાશ (ઉ.વ.૩૨) બંને ગઈકાલે સાંજે સાતેક વાગ્યાના અરસામાં બાઈક લઇ શાપરથી વાવડી જઈ રહ્યા હતા ત્યારે કાળ બનીને સામેથી આવતી બોલેરો વાને બાઇકને ઠોકરે લેતા બાઈક સવાર બંને ભાઈઓ દૂર સુધી ફંગોળાયા હતા. અકસ્માતના પગલે લોકોના ટોળા એકઠા થઇ જતા કોઈએ ૧૦૮ અને પોલીસને ને જાણ કરતા શાપર પોલીસ દોડી આવી હતી અને ૧૦૮ મારફતે બને યુવકોને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. યાં ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.
બનાવ અંગે મૃતક વીરબહાદુર અને ચંદ્રપ્રકાશ ચાર ભાઈ એક બહેનમાં બંને મોટા હતા અને દસ વર્ષ પહેલાં રાજકોટમાં કામ અર્થે આવ્યાં બાદ વાવડીમાં પરિવાર સાથે રહી શાપર આવેલા કારખાનામાં કામ કરતા હતાં. વિરબહાદુરને સંતાનમાં બે પુત્ર છે. તેની પત્નીનું એક વર્ષ પહેલાં અવસાન થયું છે જે બાદ તેનો એક પુત્ર પોતાની સાથે અને એક પુત્ર વતનમાં રહે છે. યારે ચંદ્રપ્રકાશને સંતાનમાં બે પુત્ર છે.બંને ભાઈઓ ગઈકાલે સવારે શાપરમાં આવેલ પ્રીશા નામના કારખાનામાં કામે ગયા હતા કામ પૂં કરી સાંજે સાત વાગ્યાની આસપાસ ઘરે જવા નીકળ્યા હતા ત્યારે શાપરથી રાજકોટ તરફ કિશાન ગેટની સામે પુલ પર પહોંચતા પુરપાટ ઝડપે આવતી બોલેરો કારે બાઈકને ઠોકરે લેતા આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો.
પોલીસે અકસ્માત સર્જી નાસી છૂટનાર બોલેરો ચાલકની શોધખોળ હાથ ધરી છે. એકી સાથે બે ભાઈઓના મોતથી પરિવારમાં ઘેરો કલ્પાંત સર્જાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech