જેતપુરના ઉમરાળી ગામ પાસે અજાણી કારે બાઇકને હેડફેટે લેતા ગોંડલમાં રહેતા કૌટુંબિક ભાઇ ગંભીર રીતે ઘવાયા હતા. બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા સારવાર દરમિયાન બંનેના મોત થયા હતા. બંને ભાઈ બાઈક પર ગોંડલથી કાલાવડ તાલુકાના ફગાસ ગામે સુરાપુરા દાદાના મંદિરે દર્શન કરવા માટે જતા હતા દરમિયાન આ ઘટના બની હતી. બનાવ અંગે મૃતકના પુત્રની ફરિયાદ પરથી વિરપુર પોલીસે કારચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પરિવારના બે સભ્યોના અકસ્માતમાં મોતથી સુથાર પરિવારમાં કાળો કલ્પાંત છવાય ગયો હતો.
અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગત તા. ૧૬૧૨૨૦૨૪ ના બપોરના સમયે જેતપુરના ઉમરાળીથી જામકંડોરણા ગોંડલ સ્ટેટ હાઇવે રોડ પર પૂરપાટ ઝડપે ધસી આવેલી કારે બાઇકને હડફેટે લેતા બાઈક પર સવાર દિનેશભાઈ વિઠ્ઠલદાસ પીપળીયા (ઉ.વ ૫૬ રહે. ગોંડલ) તથા તેમના કૌટુંબિક ભાઈ નરેન્દ્રભાઇ વાલજીભાઈ પીપળીયા (ઉ.વ ૫૧ રહે. ગોંડલ) બંને ગંભીર રીતે ઘવાયા હતા જેથી બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા દિનેશભાઈનું ગોંડલ હોસ્પિટલમાં યારે તેમના કૌટુંબિક ભાઈ નરેન્દ્ર ભાઈનું રાજકોટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.
અકસ્માતની આ ઘટના અંગે દિનેશભાઈના પુત્ર ધવલ દિનેશભાઈ પીપળીયા(ઉ.વ ૨૪ રહે. મહાકાળીનગર, રેલવે સ્ટેશન પાછળ, શેરી નંબર ૨, ગોંડલ) દ્રારા વિરપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે કાર નંબર જીજે ૩ ડીએન ૪૨૬૨ ના ચાલકનું નામ આપ્યું છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ગવર્મેન્ટ પોલિટેકનિક ડિપ્લોમા કોલેજમાં બીજા વર્ષમાં સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે ગત તા.૧૬૧૨ ના તે તથા તેમના પિતા–માતા અને બહેન સહિતનાઓ અહીં ગોંડલ ઘરે હાજર હતા ત્યારે બપોરના સમયે દોઢેક વાગ્યે તેમના પિતા દિનેશભાઈ તથા કૌટુંબીક કાકા નરેન્દ્રભાઈ બંને યુવાનનું બાઈક લઇ કાલાવડ તાલુકાના ફગાસ ગામે સુરાપુરાદાદાના મંદિરે દર્શન કરવા તથા ત્યાં પ્લાયવુડનું અગરબત્તી તથા દિવેલ રાખવાનું બોકસ મુકવા માટે નીકળ્યા હતા. દરમિયાન બપોરના ત્રણેક વાગ્યા આસપાસ અહીં ઉમરાળી પાસે પહોંચતા જામકંડોરણા તરફથી આવતી કારે તેમના બાઇકને હડફેટે લેતા ગંભીર ઈજા થતા બંનેના મોત થયા હતા. અકસ્માત બાદ કારચાલક અને કાર રેઢી મૂકી ગયો હતો.મુતક દિનેશભાઇ પીપળીયાને સંતાનમાં એક પુત્ર એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે યુવાને ફરિયાદ પરથી વીરપુર પોલીસે કારચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech