સમગ્ર રાયમાં આત્મહત્યાના સૌથી વધુ બનાવ રાજકોટ શહેરમાં બની રહ્યા હોઈ એ કહેવું કદાચ વધુ અતિશયોકિત નથી લાગતું કારણ કે, દૈનિક સરેરાશ આપઘાતના બે બનાવ રાજકોટમાં નોંધાઈ રહ્યા છે. તેમાં પણ કેટલાક બનાવમાં સાવ નજીવા કારણ અને ક્ષણિક ગુસ્સો જ જવાબદાર બન્યા છે.
રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયામાં વિધાર્થીઓના આત્મહત્યાના બનાવ વધુ જોવા મળી રહ્યા છે. ત્યારે ગઈકાલે નજીવી બાબતે વધુ બે વિધાર્થીઓએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
પ્રા વિગત મુજબ આજીડેમ ચોકડી પાસે ગોકુલપાર્કમાં રહેતો હર્ષલ દિલીપભાઈ જોષી (ઉ.વ.૧૭)ના સગીરે ઘરે પંખામાં દોરી બાંધી ગળેફાંસો ખાઈ લેતા બેભાન હાલતમાં મોત થયું હતું. બનાવની જાણ આજીડેમ પોલીસને કરવામાં આવતા પોલીસ સ્ટાફ બનાવ સ્થળે પહોંચી જરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે ખસેડો હતો. આપઘાત કરનાર હર્ષ ધો.૧૧માં અભ્યાસ કરતો હતો અને પોતાને અકસેસ લેવું હોવાથી પિતાને લઇ આપવા કહ્યું હતું. પરંતુ પિતા દિપકભાઈએ થોડા ટાઈમ પછી લઇ આપવાનું કહેતા આ બાબતનું લાગી આવવાથી મમાં જઈ પગલું ભરી લીધું હતું. વિપ્ર પરિવારે એકનો એક પુત્ર ગુમાવતા શોકમાં ગરકાવ થયો છે.
બીજા બનાવમાં જસદણની આનંદધામ સોસાયટીમાં રહેતો અને આર.કે.યુનિવર્સીટીમાં એન્જીનીયરીંગનો અભ્યાસ કરતા પાર્થ શૈલેષભાઇ મકવાણા (ઉ.વ.૧૯)ના યુવકે ગઈકાલે બપોરે કોલેજથી છૂટીને જસદણ ઘરે પહોંચ્યા બાદ મ જઈ ગળાફાંસો ખાઈ લેતા બેભાન હાલતમાં મોત નીપયું હતું. બનાવ અંગે જસદણ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દોડી ગઈ હતી અને જરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે જસદણ સરકારી હોસ્પિટલમાં ખસેડો હતો. યુવકને કોઈ બાબતે પિતાએ ઠપકો આપ્યો હોવાથી મનમાં લાગી આવતા પગલું ભરી લીધું હતું. બનાવથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech