ગુજરાત સહિત દેશભરમાં ફરી કોરોનાએ હાહાકાર મચાવવાનું ચાલુ કરી દીધું છે. દેશમાં 24 કલાકમાં કોરોનાથી બે લોકોના મોત થયાનું સામે આવ્યું છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, બેંગલુરુમાં કોરોનાથી પીડિત 84 વર્ષીય વૃદ્ધનું મૃત્યુ થયું છે. આ પહેલા થાણેમાં 21 વર્ષીય યુવકનું મોત થયું હતું.
ગઈકાલે 23 નવા કોરોના કેસ નોંધાયા હતા. મહારાષ્ટ્રના થાણેમાં 8, રાજસ્થાન અને કર્ણાટકમાં 5-5, ઉત્તરાખંડ અને હરિયાણામાં 3-3, મધ્યપ્રદેશના ઇન્દોરમાં 2 અને ઉત્તરપ્રદેશના નોઈડામાં 1 કેસ નોંધાયા હતો. એક્ટિવ કેસની સંખ્યા 363 પર પહોંચી ગઈ છે. દેશભરમાં વધતા કેસ વચ્ચે, કેન્દ્રીય આરોગ્ય સચિવે શનિવારે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ રિસર્ચ, ડાયરેક્ટર જનરલ હેલ્થ સર્વિસીસ અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના અધિકારીઓ હાજર રહ્યા હતા.
આરોગ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે કેરળ, તમિલનાડુ, મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા રાજ્યોમાંથી કોવિડના નવા કેસ નોંધાયા છે. જોકે, મોટાભાગના કેસો હળવા છે અને દર્દીઓ ઘરે એકાંતમાં સ્વસ્થ થઈ રહ્યા છે. ભારતીય SARS-CoV-2 જીનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG) અનુસાર, ભારતમાં COVID-19 વેરિઅન્ટ NB.1.8.1નો એક કેસ અને LF.7 વેરિઅન્ટના ચાર કેસ મળી આવ્યા છે. ચીન અને એશિયામાં વધતા જતા કેસોમાં આ પ્રકાર જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં 33 સક્રિય કેસ
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 40 કેસ નોંધાયા છે, જેમાંથી 33 સક્રિય છે. દિલ્હીના આરોગ્ય પ્રધાન પંકજ સિંહે જણાવ્યું હતું કે ગુરુવાર સુધીમાં રાજધાનીમાં 23 કેસ નોંધાયા છે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં 4 નવા દર્દીઓ મળી આવ્યા. ત્રણ દર્દીઓને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે, જ્યારે એક હોસ્પિટલમાં દાખલ છે. તે જ સમયે, હરિયાણામાં 48 કલાકમાં 5 દર્દીઓ મળી આવ્યા છે. જેમાં 2 મહિલાઓનો સમાવેશ થાય છે. આ બધા દર્દીઓનો કોઈ આંતરરાષ્ટ્રીય પ્રવાસ ઇતિહાસ નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech