ખંભાતમાં પુલની કામગીરી દરમિયાન સ્લેબ તૂટતાં બે શ્રમિક દટાયા, એકનું મોત

  • June 06, 2025 03:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
આણંદ નજીક એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. આણંદના ખંભાત નજીક પુલની કામગીરી દરમિયાન સ્લેબ તૂટતા આ દુર્ઘટનામાં બે શ્રમિકો દટાયા હતા. જેમાં એક શ્રમિકનું મોત નીપજ્યું છે, જ્યારે એક શ્રમિકને બચાવી લેવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત શ્રમિકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે, જ્યારે મૃતક શ્રમિકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આણંદના ખંભાત નજીક હાથિયા ખાડ વિસ્તારમાં પુલની કામગીરી દરમિયાન સ્લેબ તૂટી પડવાની દુર્ઘટના સર્જાઇ છે. સ્લેબ તૂટી પડવાની જાણ થતાં આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. સ્લેબ તૂટી પડતાં બે શ્રમિકો દટાયા હતા. જેમાં એક શ્રમિકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક શ્રમિકને બચાવી લેવાયો છે.

પ્રાથમિક તબક્કે આ ઘટનામાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે. કોઇપણ જાતની સેફ્ટીના સાધનો વિના પુલની કામગીરી કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. સ્લેબના કાટમાળની નીચે દટાયેલા શ્રમિકને રેસ્ક્યૂ કરી બચાવી સારવાર અર્થે ખસેડાયો હતો, જ્યારે મૃતક શ્રમિકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application