પોરબંદરના વાડી પ્લોટ વિસ્તારમાં એક મકાનમાં માલ સામાન ફેરવવાની મજૂરીએ ગયેલા બે રબારી યુવાનોના વિચિત્ર અકસ્માતમાં મોત થતા ભારે અરેરાટી ફેલાઇ છે.
બનાવની વિગત એવી છે કે પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતા લખમણ મુંજા કોડીયાતર (ઉંમર વર્ષ: ૩૦) અને ગલા નાથા કોડીયાતર (ઉંમર વર્ષ: ૩૫) વગેરે મકાન નો માલ સામાન ફેરવવાની મજૂરીનું કામ કરતા હતા. રવિવારે વાડી પ્લોટ વિસ્તારમાં ગુકૃપા નામના એક મકાનમાં ત્રીજા માળેથી સામાન ઉતારવાની મજૂરી કરી રહ્યા હતા આ બંને યુવાનોની સાથે અન્ય યુવાન પણ હાજર હતો. અને ત્રીજા માળેથી કબાટ ઉતારતા હતા અને નાળા બાંધીને તેને નીચે લેતા હતા એ દરમિયાન રવેશ નો કાચ તૂટતા કબાટ નીચે પડ્યો હતો અને એ દરમિયાન નાળા આ બંને યુવાનોના પગમાં વીંટાળાઈ જતા તેઓ પણ ઉપરથી નીચે પટકાયા હતા અને બંનેને માથામાં તથા શરીરે ગંભીર ઇજા થતાં ઈમરજન્સી સેવા ૧૦૮ મારફતે સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
બનાવની જાણ થતા વીરા ભગત ચેરીટેબલ ટ્રસ્ટના સભ્ય પવનભાઈ કોડીયાતર સહિત યુવાનો પહોંચી ગયા હતા તો બીજી બાજુ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની પોરબંદર તાલુકા શાખાના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાના માર્ગદર્શન નીચે નરેશભાઈ થાનકી વગેરે પણ ત્યાં પહોંચી ગયા હતા અને બંને યુવાનોને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી જેમાં સારવાર દરમિયાન પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં મોત થયું હતું જ્યારે અન્ય યુવાન ગલા નાથા કોડીયાતરને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં આ ગલા નામના યુવાનનું પણ મોત નીપજ્યું છે. આ બનાવે રબારી સમાજમાં ભારે શોક જન્માવ્યો છે અને બંને મહેનતુ યુવાનોના અપમૃત્યુથી ભારે અરેરાટી ફેલાય છે તથા પરિવાર ઉપર વજ્રઘાત થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech