ઉનામાં ટીકરીયા ખારા વિસ્તારમાં મોડી રાત્રિના સમયે એક સિંહણ શિકારની શોધમાં આવી ચઢી હતી અને આ વિસ્તારમાં આટાફેરા કર્યા બાદ વાછરડી તેમજ ગાયને નિશાન બનાવી તેના પર હુમલો કરી દીધો હતો.
આ પશુનું મારણ કર્યું બાદ જતી રહી હતી અને મધ્ય રાત્રિના ફરી આ સિંહણે તેમના ત્રણ બચ્ચાને સાથે લઈ જે સ્થળ પર પશુનું મારણ કર્યું તે જગ્યા પર આવી મારણની મીજબાની પરીવાર સાથે માણી હતી. જોકે આ વિસ્તારમાં સીમ વાડી વિસ્તાર હોય અવાર નવાર સિંહ પરીવાર શિકારની શોધમાં આવી ચડતા હોય છે ત્યારે આ વિસ્તારમાં રહેતાં લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું.
આ સિંહ પરીવારની મિજબાનીનો વિડિયો વાયરલ થયો હતો.
તાલાલાના રામપરા ગામના સરપંચના ઘરમાં ઘુસેલો દીપડો પાંજરે પુરાયો
રામપરા ગામના સરપંચ જગદીશભાઈ તળાવીયાના ઘરમાં અચાનક દીપડો ચડી આવતા વાછરડાનું મારણ કરી પડતર મકાનમાં ઘુસી ગયો હતો. આ બનાવની જાણ વનવિભાગને કરવામાં આવતા ડીએફઓ તોમરની સૂચનાથી ખેર, પ્રવીણભાઇ વાળા વનપાલ પીયૂષવાળા ફોરેસ્ટ ગાર્ડ, ટ્રેકર ટિમ અને લેબર સાથે રેસ્ક્યુ સામગ્રી લઈ તાત્કાલિક સ્થળ પર પહોંચી વેટનરી ડો.વાઢેરને બોલાવી ઇન્જેકશનથી દીપડાને બેભાન કરી ગામવસાહતમાંથી દોઢ કલાકની જહેમત બાદ પકડી પાડી સાસણ એનિમલ કેર સેન્ટર ખસેડતા ગામલોકોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech