કેન્દ્ર સરકાર આવકવેરા કાયદામાં ફેરફાર કરીને તેને સરળ બનાવવાની દિશામાં કરી રહી છે કામ: ભાષાનું સરળીકરણ, મુકદ્દમામાં ઘટાડો, બિનજરૂરી કેસોને દૂર કરવા અને અપ્રચલિત જોગવાઈઓ અંગે મગાવાયા સૂચનો
કેન્દ્ર સરકાર આવકવેરા કાયદામાં ફેરફાર કરીને તેને સરળ બનાવવાની દિશામાં કામ કરી રહી છે. આ સંદર્ભે રચાયેલી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)ની આંતરિક સમિતિ દરેક મુદ્દાનો વિગતવાર અભ્યાસ કરી રહી છે અને બિનજરૂરી જોગવાઈઓને દૂર કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આવકવેરા કાયદાને સરળ બનાવવા માટે સામાન્ય લોકો પાસેથી સૂચનો પણ માંગવામાં આવ્યા છે. તેમને પૂછવામાં આવે છે કે વર્તમાન કાયદા હેઠળ તેઓ કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે અને તેનો ઉકેલ કેવી રીતે લાવી શકાય.
નાણાકીય વર્ષ 2024-25ના સામાન્ય બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે આવકવેરા કાયદામાં ફેરફાર કરીને તેને સરળ બનાવવાની જાહેરાત કરી હતી. જેના માટે છ મહિનાની સમય મયર્દિા પણ નક્કી કરવામાં આવી હતી. આ ક્રમ હેઠળ સીબીડીટી સમિતિ હવે કાયદામાં ફેરફાર પર કામ કરી રહી છે. સૂત્રોનું કહેવું છે કે મોટા પાયે પરિવર્તનની તૈયારીઓ ચાલી રહી છે. એવી તમામ જોગવાઈઓ જે જરૂરી નથી તે દૂર કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આવતા વર્ષે ફેબ્રુઆરી સુધીમાં સમિતિના સૂચનોના આધારે, ફેરફારો સંબંધિત સુધારાઓને મંજૂરી આપવામાં આવશે. આવકવેરા કાયદામાં ફેરફારો અંગે સૂચનો પણ આપી શકો છો. આ માટે આવકવેરા વિભાગનું પોર્ટલ ખુલ્લું છે. સૂચનો મુખ્યત્વે ચાર કેટેગરીમાં આપી શકાય છે. આમાં ભાષાનું સરળીકરણ, મુકદ્દમામાં ઘટાડો, બિનજરૂરી કેસોને દૂર કરવા અને અપ્રચલિત જોગવાઈઓ અંગે સૂચનો આપી શકાય છે. પોર્ટલ 8 ઓક્ટોબરથી સૂચનો માટે ખુલ્લું છે.
જણાવવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધી મળેલા સૂચનોમાં મોટા ભાગના સૂચનો ભાષાને સરળ બનાવવા અને લાંબા સમયથી ચાલી રહેલી કાનૂની લડાઈને ઘટાડવા સાથે સંબંધિત છે. આવકવેરા વિભાગમાં ઘણા ટેક્સ ડિમાન્ડ કેસ પેન્ડિંગ છે, જે વર્ષોથી ચાલી રહ્યા છે. આવા કિસ્સાઓમાં કરની માંગની રકમ પણ મર્યિદિત હોય છે પરંતુ તેને ઉકેલવા માટે વર્તમાન કાયદા મુજબ લાંબી પ્રક્રિયાને અનુસરવી પડે છે. કરદાતાઓ ઈચ્છે છે કે આવા કેસોના નિકાલની પ્રક્રિયા મર્યિદિત હોય. સૂચનો આમંત્રિત કયર્િ પછી સમિતિ તેનો અહેવાલ તૈયાર કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech