પાકિસ્તાનની રાજનીતિમાં નવો ભૂકંપ આવવાનો છે. પાકિસ્તાનમાં બંધ થવાના આરે પહોંચેલી ઈમરાન ખાનની પીટીઆઈને તેના 39 સાંસદો માટે માન્યતા મળી ગઈ છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પાકિસ્તાનના ચૂંટણી પંચે સાંસદોને માન્યતા આપી છે. હવે ઈમરાન ખાનના સાંસદો પાકિસ્તાનની સંસદમાં ગર્જના કરતા જોવા મળશે. ત્યારે નવાઝ શરીફ ડર અનુભવી રહ્યા છે કારણકે પાકિસ્તાનમાં ફરી એકવાર ઈમરાનની લોકપ્રિયતા વધવાની છે.
પાકિસ્તાનમાં યોજાયેલી ચૂંટણી દરમિયાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન-તેહરીક-એ-ઈન્સાફને સસ્પેન્ડ કરવામાં આવી હતી. આ પછી ઈમરાને પોતાના નેતાઓને અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા હતા, 80 ઉમેદવારોએ જીત પણ નોંધાવી હતી પરંતુ આ સાંસદો ક્યારેય પીટીઆઈના બેનર હેઠળ જોવા મળ્યા ન હતા. હવે સુપ્રીમ કોર્ટે આવો નિર્ણય આપ્યો છે. જે બાદ ઈમરાનના સાંસદો અને ધારાસભ્યોને ગૃહમાં પાર્ટીના નામનો ઉપયોગ કરવાની મંજૂરી મળી ગઈ છે.
પીટીઆઈના તમામ સાંસદોને મળશે માન્યતા
સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પાકિસ્તાનના ચૂંટણી પંચે ગુરુવારે 39 સાંસદોને પીટીઆઈના સાંસદ તરીકે માન્યતા આપી છે. રિપોર્ટ અનુસાર, આ તમામ સાંસદોએ પાકિસ્તાન નેશનલ એસેમ્બલી માટે આરક્ષિત બેઠકો જીતી હતી. આ નિર્ણય બાદ હવે પીટીઆઈને પાકિસ્તાનની સંસદમાં સંસદીય પક્ષ તરીકે માન્યતા મળી ગઈ છે. રિપોર્ટ અનુસાર, 80માંથી બાકીના સાંસદોને પણ આગામી 15 દિવસમાં પીટીઆઈ સાંસદ તરીકે ઓળખવામાં આવશે.
બીજી તરફ ઈમરાન ખાનને હત્યાનો ડર છે. ઈમરાને લાહોર હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. જેમાં તેણે કહ્યું છે કે કેદીઓએ સિવિલ કોર્ટના અધિકારક્ષેત્રમાં રહેવું જોઈએ. પરંતુ 9 મેની હિંસા બાદ લાગે છે કે મને સેનાના હવાલે કરવાની તૈયારી હતી. ઈમરાન ખાને કહ્યું કે તેમના પર ષડયંત્રના ભાગરૂપે જનરલ હેડક્વાર્ટર ખાતે વિરોધ પ્રદર્શનો ભડકાવવાનો ખોટો આરોપ લગાવવામાં આવ્યો છે. ઈમરાને 9 મેની હિંસાને ખોટા 'પ્રચાર અભિયાન' ગણાવ્યા છે. તેમણે કહ્યું કે વાસ્તવિક ગુનેગારો તે છે જેમણે ઘટનાના સીસીટીવી ફૂટેજની ચોરી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMજામનગરમાં મોમાઈનગરમાં મકાનોને નોટિસ પાઠવવામાં આવતા મનપામાં રજુઆત
May 03, 2025 06:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech