સૌરાષ્ટ્રની આ બીજી વંદે ભારત ટ્રેન આવતીકાલ મંગળવાર તા. ૨૭ મે ૨૦૨૫થી ગુરુવાર સિવાયના દિવસોએ સાબરમતી- વેરાવળ- સાબરમતી વચ્ચે નિયમિત દોડતી થતાં ગુજરાત સૌરાષ્ટ્રના યાત્રાળુઓને દેશના 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ સોમનાથ-પ્રભાસ તીર્થની યાત્રા સુવિધામાં વધારો થયો છે.
દાહોદ ખાતે ઇલેક્ટ્રીક લોકોમોટીવ એન્જિન ઉત્પાદન મથક સહિતના વિકાસ કાર્યોના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણની સાથે આજે 26 મે, 2025ના રોજ આ ટ્રેન નં. 09502 સાબરમતી- વેરાવળ વંદે ભારત એક્સપ્રેસનું વિડિયો કોન્ફરન્સિંગથી લીલી ઝંડી ફરકાવતા વેરાવળથી 11.30 વાગ્યે ઉદ્ઘાટન થવા સાથે રવાના થયેલી આ ટ્રેનનું માર્ગમાં રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર અને વિરમગામ સ્ટેશનો ઉપર ભવ્ય સ્વાગત થયું હતું. આ ઉદ્ઘાટન ટ્રેન સાંજે 18.25 વાગ્યે સાબરમતી પહોંચશે.
અમદાવાદ અને સૌરાષ્ટ્ર વચ્ચે વેપાર-ધંધા માટે પણ હજારો લોકો અવરજવર કરે છે. આ તમામ માટે આનંદના સમાચાર છે. આવતીકાલથી રેગ્યુલર ટ્રેન નં. 26901 સાબરમતી વેરાવળ વંદેભારત એક્સપ્રેસ દર ગુરૂવાર સિવાય સાબરમતી સ્ટેશન (ધરમનગર બાજુ)થી સવારે 5:25 વાગે ઉપડશે અને બપોરે 13 :25 વાગે વેરાવળ પહોંચશે, તેમજ આજ દિવસે દર ગુરૂવાર સિવાય વેરાવળ સ્ટેશનથી બપોરે 14:40 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 21.35 વાગ્યે સાબરમતી પહોંચશે. આ ટ્રેન ગુરુવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ ચાલશે.
આ ટ્રેન બંને દિશામાં વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ અને જૂનાગઢ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ છે. આ ટ્રેન નં. 26901 અને 26902 નું બુકિંગ ગઈકાલથી પીઆરએસ કાઉન્ટરો અને આઇઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થઇ ગયું છે. સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ રીકલાઇંગ અને આરામદાયક સીટો, સ્લાઇડિંગ દરવાજા, મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ, બાયો-ટોઇલેટ્સ, ઓટોમેટિક એન્ટ્રી અને એક્ઝિટ ગેટ, સીસીટીવી કેમેરા જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ છે, જે મુસાફરોને વિશ્વ કક્ષાની આરામ અને સુવિધાઓ પૂરી પાડે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech