50 જેટલી બહેનોએ ભાગ લીધો
સલાયા લોહાણા મહાજન દ્વારા છેલા 9 વર્ષથી ચૈત્રી નવરાત્રી ઉજવાઈ છે જેમાં માત્ર બહેનો રાસ ગરબા રમે છે. અને માતાજીની સ્તુતિ કરે છે. આ ગરબીમાં જુદા જુદા કોમ્પિટીશનમાં 50 જેટલી બહેનોએ ભાગ લીધો હતો. જેમાં આરતીની થાળીની સ્પર્ધા, રાસ ગરબાની સ્પર્ધા,તેમજ ડ્રેસ કોમ્પિટીશન રાખવામાં આવ્યું હતું. જેમાં નિર્ણાયક તરીકે ખંભાળિયા નગર પાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી,કારોબારી ચેરમેન રેખાબેન ખેતિયા,લાયન્સ ક્લબ ખંભાળિયાના પ્રમુખ નિમિષાબેન નકુમ,રઘુવંશી અગ્રણી સોનલબેન કાનાબાર,બ્રહ્મસમાજ ના અગ્રણી ડિમ્પલબેન સાતા એ સેવા આપી હતી. આ સ્પર્ધામાં વિજેતા થનાર બહેનોને સિલ્ડ તેમજ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આમ આસો નવરાત્રીની ઉજવણી બધી જગ્યાએ થતી હોઈ છે પરંતુ ચૈત્રી નવરાત્રિમાં ગરબાનું આયોજન સલાયામાં થતું હોઈ આજુબાજુના ગામમાંથી પણ બહેનો અહી રમવા આવે છે. આ સમગ્ર આયોજન લોહાણા મહાજન ની દેખરેખ હેઠળ કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાની ૨૬૬ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટેનું રોટેશન જાહેર કરતું ચૂંટણી પંચ
May 02, 2025 04:54 PMદેવભૂમિ દ્વારકા જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા.૨૨ મેના રોજ યોજાશે
May 02, 2025 04:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech