રાજકોટ શહેરમાં નવરાત્રીના પાવન પર્વ દરમિયાન તા.3 ઓક્ટોબરથી થી તા.12 ઓક્ટોબર દશેરા પર્વ સુધીમાં કુલ રૂ.58 કરોડ 78 લાખ 13 હજાર 130ની કિંમતના 2966 વાહનો વેંચાયા છે અને તેના વ્હીકલ ટેક્સ પેટે રાજકોટ મહાનગરપાલિકાને કુલ રૂ.1 કરોડ 16 લાખ 8 હજાર 098ની માતબર આવક થયાનું મ્યુનિસિપલ ટેક્સ બ્રાન્ચના અધિકારી વર્તુળોએ જણાવ્યું હતું. વિશેષમાં રાજકોટ મહાપાલિકાના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં જ વેંચાણ થયું હોય અને વાહન ખરીદનાર ગ્રાહકનું રેસિડેન્સ એડ્રેસ રાજકોટ શહેરનું હોય તો જ તેના ઉપર રાજકોટ મહાપાલિકા દ્વારા મ્યુનિસિપલ વ્હીકલ ટેક્સ વસુલવામાં આવે છે. રાજકોટ શહેરમાં થયેલા વાહન વેંચાણમાં મુખ્યત્વે 302 કાર અને 2,486 ટુ વ્હીલરનો સમાવેશ થાય છે. કારના વેંચાણમાં 133 સીએનજી કાર, 141 પેટ્રોલ કાર, 29 ડીઝલ કાર તેમજ અન્ય એક કારનું વેંચાણ થયું છે, પ્રથમ વખત પેટ્રોલ કાર અને સીએનજી કારનું વેંચાણ લગોલગ પહોંચ્યું છે. ટુ વ્હીલરમાં 25 ઈગૠ અને 2461 પેટ્રોલ ટુ વ્હીલરનું વેંચાણ થયું છે.
તા.3 થી 12 ઓક્ટોબર 2024 સુધીનું વાહન વેચાણ
વાહન પ્રકાર ફ્યુઅલ સંખ્યા
ટુ વ્હીલર સીએનજી 25
ટુ વ્હીલર પેટ્રોલ 2461
થ્રી વ્હીલર પેસેન્જર સીએનજી 120
થ્રી વ્હીલર પેસેન્જર ડિઝલ 9
થ્રી વ્હીલર પેસેન્જર પેટ્રોલ 1
ફોર વ્હીલર એલસીવી સીએનજી 20
ફોર વ્હીલર એલસીવી ડીઝલ 18
ફોર વ્હીલર એલસીવી પેટ્રોલ 1
ફોર વ્હીલર કાર સીએનજી 133
ફોર વ્હીલર કાર ડીઝલ 29
ફોર વ્હીલર કાર અન્ય 1
ફોર વ્હીલર કાર પેટ્રોલ 141
ફોર વ્હીલર એચસીવી સીએનજી 1
ફોર વ્હીલર એચસીવી ડીઝલ 6
કુલ વેચાણ 2966
વાહન કિંમત ા. 58 કરોડ 78 લાખ 13 હજાર 130
મ્યુનિસિપલ વાહન વેરા આવક ા.1,16,08,098
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech