વિજય રૂપાણી એક દીકરીની નજરેઃ નાનપણમાં અમે રવિવારની મજા ક્યારેય રેષકોર્સની પાળીએ કે થીયેટરમાં નહોતી માણી, ભાજપના કાર્યકર્તાના ઘરે લઇ જતા

  • June 15, 2025 04:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થયું છે. આજે ફાધર્સ ડે છે ત્યારે તેમની દીકરી રાધિકાએ 2021માં તેમની નજરે પપ્પા એટલે કોણ એ પોસ્ટ ફેસબૂકમાં મુકી હતી. આ પોસ્ટ આજે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે. ​​​​​​​

પપ્પા બધે ખડેપગે ઉભા રહ્યા

રાધિકાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, કાલે (12 સપ્ટેમ્બર, 2021ની વાત છે) બહુ બધા રાજનીતિક વિશેષજ્ઞ લોકોએ વિજયભાઇના કામો અને એમના ભાજપના કાર્યકાળની ઝીણવટથી વાતો કરી. એમનો ખૂબ ખૂબ આભાર. એમના મતે પપ્પાનો કાર્યકાળ એક કાર્યકર્તાથી શરૂ થયો અને પછી ચેરમેન, મેયર, રાજ્યસભાના મેમ્બર, ટુરીઝમના ચેરમેન, ભાજપ અધ્યક્ષ, મુખ્યમંત્રી વગેરેથી સીમીત છે પણ મારી નજરે પપ્પાનો કાર્યકાળ ૧૯૭૯ મોરબી હોનારતથી ચાલુ કરી અમરેલી અતિવૃષ્ટિ, કચ્છ ભૂકંપ, સ્વામીનારાયણ મંદિરનો આતંકવાદી હુમલો, ગોધરાકાંડ, બનાસકાંઠાની અતિવૃષ્ટિ, તાઉતે, કોરોનામાં પણ પપ્પા બધે ખડેપગે ઉભા રહ્યા છે. 


કચ્છ ભૂકંપ વખતે ભત્રીજાના લગ્નને સેકન્ડ પ્રોયોરિટી માની જતા રહ્યા હતા

આજે પણ મને યાદ છે કે કચ્છના ભૂકંપ વખતે મારા ભાઇ ઋષભને સ્કુલના સભ્ય સાથે ઘરભેગો કરી એ પોતે રાજકોટમાં ભૂકંપની અસર અને મદદ કરવા નીકળી ગયા હતા. પોતાના ભત્રીજાના લગ્નને Second priority માનીને ભૂકંપના બીજા દિવસે ભચાઉની ઇન્ચાર્જ તરીકેની જવાબદારી સ્વીકારી હતી. મને અને મારા ભાઈને એક એક દિવસ સાથે લઇ જઇ ભૂકંપની વાસ્તવિકતા સમજાવી હતી અને અમને રાહતફંડમાં લોકો સાથે બેસી જમાડ્યા હતા. 


તાઉતે અને કોરાના મહાસંકટ સમયે રાત્રે ૨-૩૦ વાગ્યા સુધી જાગતા

નાનપણમાં અમે રવિવાર ક્યારેય રેષકોર્સની પાળીએ કે થીયેટરમાં નહોતો માણ્યો. મમ્મી-પપ્પા અમને કોઈપણ બે ભાજપના કાર્યકર્તાના ઘરે લઇ જતા. આ એમનો રીવાજ હતો. સ્વામીનારાયણ મંદિરના આતંકવાદી હુમલા વખતે My father was the first person to visit even before Modiji visited the premises. મને સાથે લઈ ગયા હતા કે અમે reality અને લોકસંવાદના અનુભવીએ. બહુ ઓછા લોકોને ખબર હશે કે તાઉતે અને કોરાના મહાસંકટ સમયે રાત્રે ૨-૩૦ વાગ્યા સુધી જાગીને સીએમ ડેશ્કબોર્ડ અને કોલથી પપ્પાએ બધી વ્યવસ્થા કરી હતી. લોકો  વચ્ચે અને લોકસેવા એ જ એમનો મંત્ર છે. ​​​​​​​


વર્ષો સુધી અમારા ઘરના સીમ્પલ પ્રોટોકોલ  હતા.

૧. કોઇનો પણ રાત્રે ૩ વાગ્યે કોલ આવે તો નમ્રતાથી જ વાત કરવી. 

૨. ઘરે કોઇપણ વ્યક્તિ કોઇ પણ ટાઇમે આવે પપ્પા હાજર હોય કે નહી પાણસ અને ચા-નાસ્તો કરાવવાનો જ. 

૩. હંમેશા સાદો પહેરવેશ અને સાદો સ્વભાવ રાખવો.

૪. પહેલા ભણવાનું અને પછી મોજમજા.


અમારા ભણતરમાં પણ મમ્મી-પપ્પાનો ખૂબ ફાળો રહ્યો

અમારા ભણતરમાં પણ મમ્મી-પપ્પાનો ખૂબ ફાળો રહ્યો.  Professional or Master degree was a must in our household. અમે ભણી અને પગભર થઇએ પછી જ We were allowed to even think about other trivial things. આજે અમે બંને ભાઇ-બહેન અમારા ફિલ્ડમાં settled છીએ, અમે  down to earth છીએ, all thanks to our parents. 


એમનો એ સ્વાભવ આજકાલનો નથી એ એમનો જન્મજાત સ્વભાવ

આજે પણ મને યાદ છે કે રાજકોટમાં રોડ પર પપ્પા સાથે સ્કૂટર પર જતા હોઇએ અને જો રોડ પર ક્યાંક કોઇ અકસ્માત કે ઝઘડો થયો હોય તો સ્કુટર ઉભુ રાખીને પપ્પા ભીડ વચ્ચે જશે જરૂરી સૂચના આપશે. Ambulance મગાવશે. એમનો એ સ્વાભવ આજકાલનો નથી એ એમનો જન્મજાત સ્વભાવ છે. હંમેશા clear thinking અને લોકોને મદદ કરવાનો સ્વભાવ. 


રાજકારણીઓએ સંવેદનશીલતા, શાલીનતા ન રાખવી જોઇએ? 

કાલે મે એક ન્યુઝ હેડલાઇન વાંચી- Vijaybhai’s soft spoken image worked against him. મારે એક સવાલ પૂછવાનો છે એમને, શું રાજકારણીઓએ સંવેદનશીલતા, શાલીનતા ન રાખવી જોઇએ? Isn’t it a necessary quality we need in a leader? સમાજના બધા સ્તરના લોકો આવીને સહજતાથી મળી શકે એવુ વ્યક્તિત્વ એટલે Soft spoken image? જયાં જ્યાં દાદાગીરી કે ગુનાની વાત છે ત્યાં એમણે કડક પગલા ભર્યા છે. સીએમ ડેશ્કબોર્ડથી માંડીને land garbing act, love Jihad, GUJCOCA, દારૂબંધી એના સબૂત છે પણ આખો દિવસ ગંભીર અને ભારે મુખમુરા સાથે ફરવુ એ જ નેતાની નીશાની છે? 


જૂથબંધી કે કાવાદાવાને સમર્થન આપ્યુ નથી

અમારા household માં ઘણીવાર discussion થયુ છે કે જ્યારે આટલું બધુ corruption, negativity Indian politics માં prevalent છે. ત્યારે સાદુ વ્યક્તિત્વ અને સાદો સ્વભાવ- will it survive ? will it be enough?  પણ હંમેશા પપ્પાએ એક જ વાત કરી છે કે Politics અને નેતાની ઇમેજ Indian movies and age old perceptionથી ગુંડા અને સ્વછંદી લોકો જેવી બનાવી દેવામા આવી છે, આપણે એ જ perception બદલવાનું  છે.  પપ્પાએ ક્યારેય  જૂથબંધી કે કાવાદાવાને સમર્થન આપ્યુ નથી. એ જ એમની ખાસીયત છે. જે કોઇ રાજકીય વિશેષજ્ઞ વિચારતા હોય કે વિજયભાઇનો કાર્યકાળ સમાપ્ત. અમારા મતે Nuisance કે Resistance  કરતા RSS અને BJP ના સિધ્ધાંતો પ્રમાણે સરળતાથી સતાના લોભ વગર પદ છોડવું is more courageous than anything else!!



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application