રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકા પાસે આવેલા ન્યારી-૧ જળાશયમાં તા. ૧૮ના બપોરે ૨ કલાકની સ્થિતિએ પાણીનું લેવલ ૧૦૪.૨૫ મીટર છે. આથી, રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ઈશ્વરીયા, લોધીકા તાલુકાના હરીપર (પાળ), વડવાળી વાજડી, ખંભાળા, ન્યારા, પડધરી, રામપુર, રંગપુર, તરઘડી, રાજકોટ તાલુકાના ગઢેવાળી-વાજડી, વેજાગામ, વેજાગામ (વાજડી) અને વાજડી (વિરડાવાળી) ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા ચેતવણી આપવામાં આવી છે.
આ ઉપરાંત, ઉપલેટા તાલુકા પાસે આવેલા વેણુ-૨ જળાશયમાં તા. ૧૮ના બપોરે ર કલાકની સ્થિતિએ પાણીનું લેવલ ૫૫ મીટર છે. હાલ આ ડેમના ૩ દરવાજા ૦.૩૮ મીટર ખુલ્લા છે. આથી, રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગધેથડ, વરજાંગ જાળીયા, મેખાટીંબી, નાગવદર, નીલાખા ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા ફ્લડ કંટ્રોલ સેલની યાદીમાં સુચના આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech