સંદેશા વ્યવહાર ક્ષેત્રે જાણીતી કંપની વોડાફોન આઈડિયા પર દેવું વધતું જઈ રહ્યું છે અને હવે બાકી લેણા સરકારને ચુકવવા આ ટેલિકોમ કંપની હવે સરકારને 36,950 કરોડના શેર વેચશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના પગલે કંપનીમાં સરકારનો અત્યારનો 22.6 ટકા હિસ્સો વધીને 48.99 ટકા થઈ જશે.
સરકારે સ્પેક્ટ્રમ હરાજીના બાકી લેણાંના બદલામાં રૂ. ૩૬,૯૫૦ કરોડના નવા શેર ખરીદીને વોડાફોન આઈડિયામાં તેનો હિસ્સો વધારીને ૪૮.૯૯ ટકા કરવા સંમતિ આપી છે. દેવામાં ડૂબેલી વોડાફોન આઈડિયામાં સરકારનો વર્તમાન હિસ્સો 22.6 ટકા છે. આ હિસ્સા સાથે, સરકાર આ ટેલિકોમ કંપનીમાં સૌથી મોટી શેરહોલ્ડર છે. વોડાફોન આઈડિયા લિમિટેડ એ સરકાર દ્વારા વધારાનો હિસ્સો લેવા અંગે સ્ટોક એક્સચેન્જોને જાણ કરી દીધી છે.
સંદેશાવ્યવહાર મંત્રાલયનો નિર્ણય
કંપનીએ જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર 2021માં ટેલિકોમ ક્ષેત્ર માટે જાહેર કરાયેલા સુધારા અને સહાય પેકેજને અનુરૂપ, સંચાર મંત્રાલયે બાકી સ્પેક્ટ્રમ હરાજીની રકમ, જેમાં મોરેટોરિયમ અવધિ સમાપ્ત થયા પછી ચૂકવવાપાત્ર વિલંબિત બાકી રકમનો સમાવેશ થાય છે, તેને ભારત સરકારને જારી કરવા માટે ઇક્વિટી શેરમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય લીધો છે. ઇક્વિટી શેરમાં રૂપાંતરિત થવાની કુલ રકમ રૂ. 36,950 કરોડ છે.
જરૂરી વિધિ બાદ 30 દિવસમાં 10 રૂપિયાના ભાવે ઇક્વિટી શેર ઈશ્યુ થશે
વોડાફોન આઈડિયાએ જણાવ્યું હતું કે તેને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા અને અન્ય સત્તાવાળાઓ તરફથી જરૂરી ઓર્ડર જારી થયાના 30 દિવસની અંદર 10 રૂપિયાના ફેસ વેલ્યુવાળા 3,695 કરોડ ઇક્વિટી શેર 10 રૂપિયાના ભાવે ઇશ્યૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. કંપનીએ સ્ટોક એક્સચેન્જને આપેલી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, નવા ઇક્વિટી શેર જારી કર્યા પછી, કંપનીમાં ભારત સરકારનો હિસ્સો હાલના 22.60 ટકાથી વધીને આશરે 48.99 ટકા થશે.
કંપની ઓપરેશનલ નિયંત્રણ જાળવી રાખશે
વોડાફોન આઈડિયાએ કહ્યું કે તેના પ્રમોટર્સ કંપનીનું સંચાલન નિયંત્રણ જાળવી રાખશે. દેવામાં ડૂબેલી ટેલિકોમ કંપની સરકારને સ્પેક્ટ્રમ હરાજીની રકમ ચૂકવી શકી ન હતી. જે બાદ કંપનીએ બાકી ચૂકવણીના બદલામાં 22.6 ટકા હિસ્સો સરકારને સોંપી દીધો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાવનગરને વધુ રેલ સુવિધાની ઉપલબ્ધધિ આડે સમસ્યા અંગે ડીઆરયુસીસી કમિટીનું હકારાત્મક વલણ
May 02, 2025 02:40 PMશેરબજારમાં તેજી: સેન્સેક્સ ૮૧૦૦૦ સપાટી કુદાવી ૯૩૫ પોઈન્ટ ઉછળ્યો
May 02, 2025 02:40 PMગણેશ ચતુર્થીએ મંદિરોમાં ભાવિકોએ કરી આરાધના
May 02, 2025 02:38 PMલંડનની યુનિ.માં અડધી ફીમાં પ્રવેશની લાલચમાં યુવાને ૪.૮૦ લાખ ગુમાવ્યા
May 02, 2025 02:34 PMબિલ્ડરના સગીર પુત્રને બંધક બનાવીને લુંટ ચલાવનાર ઘરઘાટી દંપતીને ૭-૭ વર્ષની સજા
May 02, 2025 02:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech