કમિશને કહ્યું, કેટલાક મતદારો પાસે સમાન મતદાર ફોટો ઓળખ કાર્ડ નંબર હોઈ શકે છે, પરંતુ તેમની વસ્તી વિષયક વિગતો, વિધાનસભા મતવિસ્તાર અને મતદાન મથકની માહિતી અલગ હશે.' સમાન ઈપીઆઈસી નંબર હોવા છતાં, કોઈપણ મતદાર ફક્ત તેમના સંબંધિત મતવિસ્તારમાં નિયુક્ત મતદાન મથક પર જ મતદાન કરી શકે છે જ્યાં તેમનું નામ મતદાર યાદીમાં નોંધાયેલ હોય. આ સિવાય તે બીજે ક્યાંય મતદાન કરી શકશે નહીં.
ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી હતી કે આ ડુપ્લિકેશન રાજ્યોના મતદાર યાદી ડેટાબેઝને એરોનેટ પ્લેટફોર્મ પર ખસેડવામાં આવે તે પહેલાં અનુસરવામાં આવતી વિકેન્દ્રિત અને મેન્યુઅલ સિસ્ટમને કારણે હતું. કેટલાક રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર કાર્યાલયોએ સમાન આલ્ફાન્યૂમેરિક શ્રેણીનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે વિવિધ રાજ્યોના કેટલાક વિધાનસભા મતવિસ્તારોમાં મતદારોને ડુપ્લિકેટ ઈપીઆઈસી નંબરો ફાળવવામાં આવ્યા હોવાની શક્યતા ઊભી થઈ હતી.
જોકે, હવે ચૂંટણી પંચે આવા મતદારોને યુનિક ઈપીઆઈસી નંબર ફાળવવાનું સુનિશ્ચિત કરવાનો નિર્ણય લીધો છે. ડુપ્લિકેટ ઈપીઆઈસી નંબરના દરેક કિસ્સામાં એક અનન્ય ઈપીઆઈસી નંબર ફાળવીને સુધારો કરવામાં આવશે. આ માટે એરોનેટ 2.0 પ્લેટફોર્મ અપડેટ કરવામાં આવશે.
ઈપીઆઈસી નંબરોમાં ડુપ્લિકેશનનો ઉલ્લેખ કરીને, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ પર ચૂંટણી પંચ સાથે સાંઠગાંઠ કરીને આવતા વર્ષે બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યની મતદાર યાદીમાં નકલી મતદારો ઉમેરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, મારી પાસે પશ્ચિમ બંગાળના તમામ જિલ્લાઓમાંથી પુરાવા છે. પશ્ચિમ બંગાળના રહેવાસીઓ સાથે હરિયાણા અને ગુજરાતના લોકોના નામ એક જ ઈપીઆઈસી નંબર હેઠળ દેખાઈ રહ્યા છે. નકલી મતદારો ઓનલાઈન ઉમેરાયા છે.
તેમણે કહ્યું, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં વિરોધ પક્ષો આ યુક્તિને ઓળખવામાં નિષ્ફળ ગયા, પરંતુ અમે બંગાળમાં ભાજપની આ યુક્તિને ઓળખી લીધી. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ભાજપે સમાન રીતે જીત મેળવી. હવે તેઓ પશ્ચિમ બંગાળમાં પણ આવું જ કરવા માંગે છે. ચૂંટણી પંચના આશીર્વાદથી ભાજપ મતદાર યાદી સાથે કેવી રીતે છેડછાડ કરી રહ્યું છે તે સ્પષ્ટ થઈ ગયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech