ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં લઘુતમ તાપમાનમાં સરેરાશ ત્રણથી પાંચ ડિગ્રીનો વધારો થયો છે. આવી જ રીતે ભેજના પ્રમાણમાં પણ તોતિંગ વધારો થયો છે અને 82 થી 90 ટકા ભેજ નોંધાયો છે. લઘુત્તમ અને મહત્તમ તાપમાન વધી જતા અને ભેજનું પ્રમાણ પણ વધી જવાના કારણે દરિયા કાંઠાના વિસ્તારોમાં બેચેની અને અકળામણ જેવું વાતાવરણ લોકો અનુભવી રહ્યા છે. હવામાન ખાતાએ આ સંદર્ભે એલર્ટ જાહેર કરીને જણાવ્યું છે કે આ પરિસ્થિતિ હજુ આગળ વધશે અને તારીખ 9 તથા 10 ના રોજ બે દિવસ માટે ગરમી અને ભેજવાળા વાતાવરણ સંદર્ભે એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરીએ તો નલિયામાં ગઈકાલે લઘુતમ તાપમાન 11.5 ડિગ્રી હતું તે આજે 15.2 ડિગ્રી થયું છે. અમરેલીમાં 14.5 ડિગ્રી લઘુતમ તાપમાન આજે 18 ડીગ્રી થઈ ગયું છે, ભાવનગરમાં આજનું લઘુતમ તાપમાન 19.6 ડિગ્રી છે જે ગઈકાલના 16 ડિગ્રીના પ્રમાણમાં ચાર ડિગ્રી જેટલું વધુ છે. દ્વારકામાં ગઈકાલે 19.4 અને આજે 23 પોરબંદરમાં ગઈકાલે 14.5 અને આજે 19.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોના મહત્તમ તાપમાન ની વાત કરીએ તો નલિયામાં 34.2 અમરેલીમાં 36 ભાવનગરમાં 33.2 પોરબંદરમાં 35.8 વેરાવળમાં 30 મહુવામાં 36.4 ડિગ્રી નોંધાયું છે.
રાજયના અન્ય શહેરોના લઘુતમ તાપમાનમાં સામાન્ય વધઘટ જોવા મળે છે. જોકે રાજકોટમાં આજનું લઘુતમ તાપમાન ચાર ડિગ્રી જેટલું ઊંચકાયું છે. રાજકોટમાં ગઈકાલે 14 અને આજે 17.8 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. રાજકોટમાં મહત્તમ તાપમાન ગઈકાલે 37.5 ડીગ્રી નોંધાયું હતું જે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ માત્ર ગુજરાત નહીં પરંતુ દેશભરના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધશે અને ભેજના પ્રમાણમાં પણ વધારો થવાનો હોવાથી બેચેની અને અકડામણ વધી જશે. ગુજરાત ઉપરાંત કોકણ ગોવા કેરલા તમિલનાડુ આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં આવી જ પરિસ્થિતિ છે. કોકણ અને ગોવામાં તો હીટ વેવનું પણ એલર્ટ આપવામાં આવ્યું છે.
તારીખ 9 ના રોજ નવું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન સર્જાઇ રહ્યું હોવાથી દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને ભેજના પ્રમાણમાં વધારો થશે તેમ પણ જણાવાયું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી ત્રણથી ચાર દિવસમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રીનો વધારો થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech