રાજકોટના મોઢુકા હેડવર્ક્સ ખાતે પાણી પુરવઠાની પાઈપલાઈનના રિપેરિંગના કામના કારણે વિંછીયા અને જસદણ તાલુકાના 60 જેટલા ગામોમાં ત્રણ દિવસ માટે પાણી પુરવઠો બંધ રહેશે.
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના જણાવ્યા મુજબ તા. 22 નવેમ્બરથી તા. 24 નવેમ્બર સુધી મોઢુકા હેડવર્ક્સ ખાતે પાણી પુરવઠાની પાઈપલાઈનનું રિપેરિંગનું કામ હાથ ધરવામાં આવશે. આ કામગીરી દરમિયાન વિંછીયા જૂથ અને ભડલી જૂથ હેઠળ આવતા કુલ 60 ગામોમાં પાણી પુરવઠો બંધ રહેશે.
આ અંગે બોર્ડ દ્વારા ગ્રામજનોને અગાઉથી જાણ કરવામાં આવી છે. રિપેરિંગનું કામ પૂર્ણ થયા બાદ પાણી પુરવઠો ફરી શરૂ કરવામાં આવશે.
વિંછીયા-જસદણ પંથકના 60 ગામમાં નહીં મળે પાણી
રાજકોટ જિલ્લાના મોઢુકા હેડવર્ક્સ ખાતે વિવિધ પાઈપલાઈનની કામગીરી હોવાથી તા. 22 નવેમ્બરથી તા. 24 નવેમ્બર સુધી શટડાઉન હોવાથી વિંછીયા તાલુકા તથા જસદણ તાલુકાના મોઢુકા હેડવર્ક્સ આધારીત વિંછીયા જૂથ અને ભડલી જૂથ હેઠળ ૬૦ ગામોમાં પાણી પુરવઠો બંધ રહેશે. જે રીપેરીંગ કર્યા બાદ કાર્યરત કરવામાં આવશે. તેમ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMજામનગરમાં મોમાઈનગરમાં મકાનોને નોટિસ પાઠવવામાં આવતા મનપામાં રજુઆત
May 03, 2025 06:40 PMલાખોટા તળાવ ખાતે ઘણા લાંબા સમયથી બંધ રહેલ માછલીઘર મુલાકાતીઓ માટે ફરીથી ખુલ્લું મુકાયું
May 03, 2025 05:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech