હાલ ચોમાસું ચાલી રહ્યું છે. દેશના દરેક ભાગમાં સતત વરસાદ પડી રહ્યો છે, જો કે આ વરસાદમાં પણ લોકોનું કામ અટકી રહ્યું નથી. લોકો કામ માટે ઘરની બહાર નીકળી રહ્યા છે. આવા હવામાનમાં ઘણી વખત એવું બને છે કે વરસાદમાં ભીના થઈ જઈએ છીએ અને તેની સાથે ફોન પણ ભીનો થઈ જાય છે. ઘણી વખત એવું પણ બને છે કે ફોન ભૂલથી પાણીમાં પડી જાય છે. સામાન્ય રીતે લોકો ફોનને ચોખામાં રાખે છે, પરંતુ અજાણતા આવું કરીને તમે મોટી ભૂલ કરો છો. આવો જાણીએ વરસાદમાં સ્માર્ટફોન ભીના થઈ જાય તો શું કરવું અને શું ન કરવું.
તરત જ મોબીલને સ્વીચ ઓફ કરો :
જો ફોન ભીનો થઈ જાય અથવા પાણીમાં પડી જાય, તો સૌથી પહેલું કામ એ કરો કે જો ફોન ચાલુ હોય તો તેને સ્વીચ ઓફ કરી દો અને કોઈપણ બટન દબાવવાનો કે ફોનને ચાલુ કરવાનો પ્રયાસ ન કરો. આમ કરવાથી ફોનમાં શોર્ટ સર્કિટ અથવા ફોનના અંદર રહેલી આઈસી શોટ જોખમ રહેશે નહીં.
SIM કાર્ડ અને મેમરી કાર્ડ કાઢી નાખો:
જો તમારી પાસે જૂનો ફોન છે જેમાં બેટરી દૂર કરવાની સુવિધા છે. તો ફોનની બેટરી, મેમરી કાર્ડ અને સિમ કાર્ડને કાઢી નાખો. જો ફોનમાં નોન-રિમૂવેબલ બેટરી હોય તો શોર્ટ સર્કિટનું જોખમ રહે છે. હવે ફોનને પંખાની નીચે અથવા હેર ડ્રાયર વડે સુકાવા માટે મૂકી દો. ફોન પર દેખાતા પાણીને સ્વચ્છ કપડા અથવા પેપર નેપકિનથી સાફ કરો.
ફોન સીધો રાખો:
થોડા દિવસો પહેલા એપલે કહ્યું છે કે જો તમારા iPhone માં પાણી આવી જાય તો ચાર્જિંગ પોર્ટને નીચેની તરફ રાખો એટલે કે ફોનને સીધો રાખો. પછી ફોનને એવી જગ્યાએ રાખો જ્યાં પવન સારી રીતે ફૂંકાઈ રહ્યો હોય અને લગભગ 30 મિનિટ પછી ફોનને ચાર્જ કરો. લગભગ 24 કલાક પછી ફોનમાંથી પાણી નીકળી જશે. જો ફોનમાં પાણી રહે છે, તો યુઝર્સને લિક્વિડ ડિટેક્શન એલર્ટ પણ મળશે.
સર્વિસ સેન્ટર પર જાઓ:
જો તમામ પ્રયાસો પછી પણ ફોન ઠીક ન થતો હોય તો તમારે કોઈપણ વિલંબ કર્યા વિના સર્વિસ સેન્ટર પર જવું જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુભાષ નગર તરફ જતા રસ્તા ના સમારકામની કાર્યવાહી કરવા ઉઠી માંગ
May 03, 2025 12:54 PMપોરબંદરમાં મહાલક્ષ્મી માતાજીના મંદિરે 108 દીપમાળા ના દિવ્ય દર્શન યોજાયા
May 03, 2025 12:52 PMપોરબંદરમાં રામધૂનના 59માં વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે પાટોત્સવ ઉજવાયો
May 03, 2025 12:50 PMધારી : મૌલાનાની સઘન તપાસ ચાલુ, મદ્રેસા કાયદેસર છે કેમ તેની થશે ચકાસણી
May 03, 2025 12:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech