મોટા વડીયા ગામમાં ગળાફાંસો ખાઇ મહિલાએ જીવતર ટુકાવ્યું
જામનગરના બેડેશ્ર્વર વિસ્તારમાં રહેતા એક પ્રૌઢ ઘરે જમતી વેળાએ અચાનક ઢળી પડતા તેમનું મૃત્યુ નિપજયું છે, જયારે મોટા વડીયા ગામમાં બિમારીનું મનમાં લાગી આવતા મહિલાએ ગળાફાંસો ખાઇને જીવાદોરી ટુંકાવી લીધી છે.
જામનગરના વાલસુરા રોડ, બેડેશ્ર્વર વિસ્તાર, મંદિર પાસે રહેતા મોહનભાઇ રતીલાલ બાબરીયા (ઉ.વ.55) નામના પ્રૌઢ ગઇકાલે પોતાના ઘરે જમતા હતા ત્યારે અચાનક તબીયત લથડતા જી.જી. હોસ્પીટલ સારવારમાં લઇ જવામાં આવેલ જયાં તેમનું મૃત્યુ નિપજયુ હતું. આ બનાવ અંગે જતીનભાઇ બાબરીયાએ બેડી મરીન પોલીસમાં જાણ કરી હતી.
બીજા બનાવમાં જામજોધપુર તાલુકાના મોટા વડીયા ગામમાં રહેતી વાલીબેન કરશનભાઇ બડીયાવદરા (ઉ.વ.45) નામના મહિલા થોડા સમયથી કબજીયાતની બિમારી હોય અને તેઓને કેન્સર હોય તેવું મનમાં લાગી આવતા પોતાની મેળે ગળાફાંસો ખાઇ લેતા સારવાર માટે હોસ્પીટલ લઇ જતા જયાં તેણીનું મૃત્યુ થયુ હતું, આ અંગે નાંદુરી ગામમાં રહેતા ભીમશીભાઇ વએ પોલીસમાં જાણ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech