કુવાડવાના ખોરાણા ગામે વાડી વિસ્તારમાં વૃધ્ધ ટીસીમાં ડિયો નાખતી વખતે છટકી માથા ઉપર પડતા માથે ઇજા થવાથી સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ કુવાડવાના ખોરાણા ગામે રહેતા અમૃતભાઈ નાથાભાઈ વેકરીયા (ઉ.વ.71) નામના વૃધ્ધ બે દિવસ પહેલા ગામની સીમમાં આવેલી વાડીએ રાત્રીના લાકડી વડે ટીસીમાં ડિયો નાખતા હતા ત્યારે ડિયો છટકી માથા ઉપર પડતા વૃધ્ધને મૂંઢ ઇજા થઇ હતી. બાદમાં સવારથી ઉલ્ટીઓ ચાલુ થઇ જતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં હેમરેજ હોવાનું નિદાન થયું હતું વૃધ્ધની સારવાર ચાલુ હતી ત્યારે આજે સવારે દમ તોડી દેતા પરિવારમાં ગમગીની છવાઈ હતી. મૃતક ખેતીકામ કરતા હતા અને સંતાનમાં એક દીકરો દીકરી છે. બનાવ અંગે કુવાડવા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
બીજા બનાવમાં કોઠારીયા રોડ પર બ્રહ્માણી હોલ પાસે આવેલી રાધેશ્યામ સોસાયટી-9માં રહેતા મણીબેન કુરજીભાઈ સખીયા (ઉ.વ.80) નામના વૃધ્ધા રાત્રીના બે વાગ્યાના અરસામાં જાગી પોતાની સાડીઓ ભેગી કરી ઉપરના રૂમમાં ગયા હતા ત્યાં સાડીઓનો ઢગલો કરી તેમાં દીવાસળી ચાંપી ભડકો કર્યો હતો જેમાં પોતે દાઝી જતા દેકારો કર્યો હતો. અવાજ સાંભળી રાત્રે પરિવારજનો જાગી ગયા હતા અને ઉપરના રૂમમાં દોડીને જોતા ભડકો જોવા મળ્યો હતો જે ઠારીને દાઝેલા વૃધ્ધાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પરિવારજનોના કહેવા મુજબ માજીની માનસિક સ્થિતિ ખરાબ છે તેની દવા પણ ચાલી રહી છે. અને કેટલાક દિવસથી મરી જવું મરી જવું રટણ કરી રહ્યાં છે.બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાની ૨૬૬ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટેનું રોટેશન જાહેર કરતું ચૂંટણી પંચ
May 02, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech