જ્યારે તમે વિમાનમાં મુસાફરી કરો છો, ત્યારે કોકપીટમાં રહેલા પાઇલટ અને કો-પાઇલટ તમારી સલામતી માટે સંપૂર્ણપણે જવાબદાર હોય છે. લાંબા અંતરની ફ્લાઇટ્સ દરમિયાન, આ પાઇલટ્સ, મુસાફરોની જેમ ભૂખ્યા રહે છે અને તેમને બોર્ડમાં ભોજન પીરસવામાં આવે છે. જો કે, તમને એ જાણીને આશ્ચર્ય થશે કે તેમનું ભોજન ક્યારેય સરખું હોતું નથી. આ અત્યંત રસપ્રદ અને કડક ઉડ્ડયન નિયમ ફક્ત મુસાફરોના જીવનનું રક્ષણ કરવા માટે બનાવવામાં આવ્યો છે, જે હવામાં કોઈપણ મોટી દુર્ઘટનાને અટકાવે છે.
જો બંને પાઇલટ્સને એક જ જેવું ભોજન આપવામાં આવે અને તે ખરાબ નીકળી તો બંને બિમાર પડી શકે છે. આવી સ્થિતિમાં આકાશમાં ઉડી રહેલા વિમાનને સંભાળવવામાં કોઈ બચશે નહીં. આથી સેંકડો યાત્રીઓની જીવન જોખમમાં મુકાઈ શકે છે. આથી બંને પાઇલટ્સનું ભોજન અલગ અલગ આપવાનો નિયમ બનાવવામાં આવ્યો છે.
વર્ષ 1984માં લંડનથી ન્યૂયોર્ક જઈ રહેલી ફ્લાઇટમાં દૂષિત ભોજનથી પાઇલટ્સ, કો-પાઇલટ્સ, ક્રૂ મેમ્બર્સ સહિત 120 યાત્રી ફૂડ પોઇઝનિંગનો શિકાર બન્યા હતા. બધાને ખૂબ જ તાવ, ઉલ્ટી અને ઝાડા થઈ ગયા હતા. જેમાં એક યાત્રીનું મોત નીપજ્યું હતું. બાદમાં પાઇલટ્સને વિમાન ઉડાડવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારથી કડક નિયમ નિયમો બનાવવામાં આવ્યા છે.