માનસીક તણાવ બાબતનું મનમાં લાગી આવતા પગલુ ભર્યુ : શોકની લાગણી
મોટી ખાવડી ટાઉનશીપ સેકટર વિસ્તારમાં રહેતી પરણીતાએ માનસીક તણાવની બિમારીના કારણે લાગી આવતા ઘઉંમાં મુકવાની ટીકડીઓ ખાઇ લેતા સારવાર દરમ્યાન તેણીનું મૃત્યુ નિપજયુ હતું, બનાવના પગલે શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.
મુળ જુનાગઢના કેશોદ તાલુકાના જુથળ ગામના વતની અને હાલ રીલાયન્સ ટાઉનશીપ સેકટર-2117 એચ, મોટી ખાવડી ખાતે રહેતા સંઘ્યાબેન મેહુલભાઇ સાદરીયા (ઉ.વ.29) નામની પરિણીતાને દોઢેક વર્ષથી માનસીક તણાવની બિમારી હોય, પુરી ઉંઘ કરી શકતા ન હતા.
તેણીને ખોટા વિચારો આવતા હોય તેની દવા ચાલુ હતી તેમ છતા આ બિમારી જતી ન હોય જેના કારણે મનમાં લાગી આવતા ગઇકાલે પોતાની મેળે ઘઉંમા મુકવાની સેલફોસ નામની ટીકડીઓ ખાઇ જતા ઉલ્ટીઓ થઇ હતી આથી હેલ્થ સેન્ટરમાં સારવાર માટે લઇ જવામાં આવેલ જયાં સારવાર દરમ્યાન તેણીનું મૃત્યુ થયુ હતું આ બનાવ અંગે મેહુલ વિનોદભાઇ સાદરીયા દ્વારા મેઘપર પડાણા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech