મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે સંકેત આપ્યો છે કે ભાજપ શિવરાજ સિંહ ચૌહાણના પરિવારમાંથી કોઈને મધ્યપ્રદેશની બુધની વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર બનાવી શકે છે. આજે જ શિવરાજ સિંહ ચૌહાણ તેમના પરિવાર સાથે પીએમ મોદીને મળ્યા હતા.
દિગ્વિજય સિંહે X પર લખ્યું, "MPની બુધની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કોણ હશે, તે સાબિત કરશે કે નરેન્દ્ર મોદી, અમિત શાહ, શિવરાજ સિંહ ચૌહાણ, જેપી નડ્ડા અને RSS રાજકારણમાં પરિવાર વ્યવસ્થાના પક્ષમાં છે કે વિરુદ્ધ. જય સિયા રામ.''
આજે જ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ દિલ્હીમાં પીએમ મોદીને મળ્યા હતા અને તેની તસવીર શેર કરી હતી. તેમણે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, “આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હું, મારી પત્ની સાધના અને બે પુત્રો કાર્તિકેય-કુણાલ મળ્યા. અમે વડા પ્રધાનને બંને પુત્રોના લગ્નમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું અને તેમના આશીર્વાદ લીધા હતા.
તેમણે કહ્યું, “આદરણીય વડા પ્રધાન એક વાલી અને મોટા ભાઈ છે. જે સ્નેહ, પ્રેમ, આત્મીયતા અને નિકટતાથી ભરેલા છે. તે ખૂબ જ સહજ અને સરળ છે, માનવીય સંવેદનાઓથી ભરપૂર છે. વડાપ્રધાનને મળ્યા બાદ હું ભાવુક થઈ ગયો હતો. તેમની સાથે દેશ અને ખેડૂતો માટે કામ કરવું એ જીવનનો સૌથી મોટો લહાવો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં મહિન્દ્રાના શો રૂમમાં તોડફોડની ઘટના
May 02, 2025 12:50 PMજામનગરના કાલાવડમાં વન નેશન વન ઈલેક્શન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 12:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech