છત્તીસગઢના બેમેતરામાં રવિવારે મોડી રાત્રે એક મોટો અકસ્માત સર્જાયો હતો, જેમાં એક પીક અપ વાન ઉભેલા બંધ ટ્રક સાથે ધડાકાભેર અથ્દાયી પડી હતી જેમાં ત્રણ બાળક સહિત આઠ લોકોના મૃત્યુ થયા હતા જ્યારે 26થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાંથી ચારની હાલત ગંભીર છે અને તેમને રાયપુરની એઈમ્સમાં રીફર કરવામાં આવ્યા છે. બાકીના ઘાયલોને બેમેતરા અને સિમગાના સીએચસીમાં સારવાર આપવામાં આવી રહી છે. અકસ્માત એટલો ભયાનક હતો કે અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મૃત્યુઆંક હજુ વધી શકે તેવી આશંકા છે.
પીકઅપમાં સવાર તમામ લોકો પારિવારિક કાર્યક્રમ માટે ગામ તિરૈયા ગયા હતા અને ત્યાંથી તેમના ગામ પર્થરા પરત ફરી રહ્યા હતા. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. કલેક્ટર અને એસપીની સાથે એસડીએમ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને હોસ્પિટલમાં ઘાયલોની સ્થિતિ વિશે પણ પૂછપરછ કરી હતી.મળતી માહિતી મુજબ તમામ લોકો તિરૈયા ગામથી સમધિન ભેટ કાર્યક્રમ માટે ગયા હતા અને કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે કઠિયા ગામ પાસે આ અકસ્માત થયો હતો. આ ઘટનામાં બાળકો સહિત 8 લોકોના મોતના સમાચાર છે. પીકઅપ વાનમાં એક જ પરિવારના 40 થી 50 જેટલા લોકો બેઠા હતા. તમામ લોકો પથરા ગામના રહેવાસી છે અને સાહુ સમુદાયના છે. ઘટનાની માહિતી મળતા જ વિસ્તારના ધારાસભ્ય દીપેશ સાહુ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા જ્યાં તેમણે ડોક્ટરોને ઘટનામાં ઘાયલ થયેલા તમામ લોકોની સારી સારવાર માટે સૂચના આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનાફેડમાં ભાજપના કુંડારિયા સહિત છ જણ અંદરો અંદર લડી લેવાના મૂડમાં
May 15, 2024 11:58 AMખરેખર અબુધાબીમાં પહેલીવાર બનશે દારૂ?
May 15, 2024 11:57 AMશાળાઓને આવતીકાલે ધોરણ ૧૨ સાયન્સની માર્કશીટ મળશે
May 15, 2024 11:54 AMવકીલોની સેવામાં ખામી હોય તો પણ ગ્રાહક અદાલતમાં કેસ કરી શકાય નહી
May 15, 2024 11:52 AMચાર ધામ યાત્રાનું રજિસ્ટ્રેશન બંધ કરવું પડ્યું ,ઓનલાઈન થઇ શકશે
May 15, 2024 11:48 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech