શનિવારે સાંજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને લઈને મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને ધમકીભર્યો સંદેશ મળ્યો હતો. ત્યારથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે. મુંબઈ પોલીસે ધમકી આપનાર મહિલાની ઓળખ કરી લીધી છે અને તેની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે.
એક અધિકારીએ રવિવારે માહિતી આપી હતી કે મુંબઈ પોલીસે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપમાં 24 વર્ષીય મહિલાની ધરપકડ કરી છે.
કોણ છે ધમકી આપનાર મહિલા?
મહિલાની ઓળખ ફાતિમા ખાન તરીકે થઈ છે. મહિલા શિક્ષિત છે અને તેણે ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં BSC કર્યું છે. ફાતિમા તેના પરિવાર સાથે મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ઉલ્હાસનગર વિસ્તારમાં રહે છે. અધિકારીએ જણાવ્યું કે તેના પિતા લાકડાનો વ્યવસાય કરે છે. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલા શિક્ષિત છે, પરંતુ માનસિક રીતે અસ્થિર છે.
બાબા સિદ્દીકીની જેમ મારી નાખવાની ધમકી
અધિકારીએ જણાવ્યું કે, શનિવારે મુંબઈ ટ્રાફિક પોલીસના વોટ્સએપ નંબર પર એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો, જેમાં યોગી આદિત્યનાથને ધમકી આપવામાં આવી હતી કે જો આદિત્યનાથ 10 દિવસમાં મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું નહીં આપે તો તેમને મૃત્યુદંડનો સામનો કરવો પડશે. એનસીપી નેતા બાબા સિદ્દીકીની જેમ હત્યા કરવામાં આવશે.
અધિકારીએ કહ્યું કે તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે ફાતિમા ખાન નામની મહિલાએ આ મેસેજ મોકલ્યો હતો. જે બાદ મુંબઈ એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એ ઉલ્હાસનગર પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું, મહિલાને ટ્રેસ કરીને તેને પકડી લીધી. અધિકારીએ કહ્યું કે આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
અહેવાલો અનુસાર, યોગી આદિત્યનાથ 20 નવેમ્બરે યોજાનારી રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના પ્રચાર માટે મહારાષ્ટ્ર આવી રહ્યા છે, જેના કારણે મહારાષ્ટ્ર પોલીસ એલર્ટ પર છે. દરમિયાન, ઉત્તર પ્રદેશના ડીજીપી પ્રશાંત કુમારે કહ્યું છે કે મુખ્યમંત્રીની સુરક્ષાને લઈને કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં. મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની 12 ઓક્ટોબરે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જે બાદ મુંબઈ પોલીસ પર અનેક સવાલો ઉભા થયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech