બગસરામાં દોઢ વર્ષ પહેલા અંદાજે રૂ.4,28 કરોડના ખર્ચે નવી સિવીલ હોસ્પિટલ બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવતા દર્દીઓને નવી સુવિધા મળશે તેવી આશાએ હાશકારો થયો હતો. પરંતુ આ હોસ્પિટલનું કામ પહેલીથી જ વિવાદ સાથે શરૂ થયું હતું જયારે આ કામ લોટ પાણી ને લાકડા જેવું થયું હતું. અને નબળી ગુણવતું મટીરીયલ પણ વાપરવામાં આવ્યું હતું.જયારે આ કામ કરવા રવિ ક્ધટ્રક્શન કંપ્ની અમદાવાદને આપવામાં આવ્યું હતું. જયારે આ કામ 23/1/2023ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું.અને આ કામને પુરૂ કરવા 22/1/2024 સુધીની સમય મયર્દિા હતી પરંતુ આ સમય મયર્દિામાં આ કામ પુરૂ ના થતા જે વધારીને 22/5/2024 કરવાં આવી હતી. છતાં હજુ સુધી આ કામ પુરૂ કરવામાં આવ્યું નથી અને છેલ્લ ાં બે માસથી આ હોસ્પિટલની કામગીરી સદંતર બંધ હોવાથી, નવી હોસ્પિટલ દર્દીઓ માટે ક્યારે ખુલશે તેવો સવાલ ઉઠી રહ્યા છે. ખાતમુહૂર્ત પ્રસંગે રાજકિય નેતાએ ફોટો સેશન કરાવ્યુ હતુ. પરંતુ આ કામ કેવું થાય છે કેવું મટીરીયલ વપરાય છે તેની કોઈ પણ પ્રકારની ભાળ લીધી ના હતી. જો કે હાલમાં આ હોસ્પિટલનું કામ પુર્ણતાના આરે છે ત્યારે છેલ્લ ાં બે માસથી કામ બંધ છે. ત્યારે કોઈ રાજકિય નેતાઓ કે સામાજિક સંસ્થાઓના આગેવાનો આ બાબતે ઉંહકારો ઙ્કણ કરતા નથી. ધારાસભ્ય જે.વી.કાકડીયા આ બાબતે ફોન ઉપાડતા ન હોવાની પણ ફરીયાદ ઉઠવા પામી છે. હંગામી સિવીલ હોસ્પિટલમાં પુરતા બેડ નથી જેથી દર્દીઓ ભારે હાલાકી ભોગવી રહ્યાં છે. આમ છતાં કોઈ નેતાઓને દર્દીઓની મુશ્કેલી દેખાતી નથી. જાણવા મળતી માહિતી મુજબ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીનું કામ તેમજ ફર્નિચરનું કામ બાકી છે. હોસ્પિટલની કામગીરી બાબતે પણ અનેકવાર ફરીયાદો ઉઠવા પામી હતી પરંતુ આ બાબતે કોઈ તપાસ કરવામાં આવી નહોતી અને સબ સલામત જણાવી હોસ્પિટલનું કામ પુરૂ કરવામાં આવ્યુ છે. હાલ ડેન્ગ્યૂ અને ચિકનગુનિયા જેવા રોગચાળાએ શહેરમાં માથુ ઉંચક્યુ છે ત્યારે હોસ્પિટલની કામગીરી ગોકળગાય ગતિએ ચાલતી હોવાથી દર્દીઓમાં રોષ ફેલાયો છે. અને જલ્દીથી આ કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી લોકોમાં માંગ પણ ઉઠી છે અને ફક્ત ફોટો સેશન કરાવવા આવેલ નેતાઓ અને સામાજિક સંસ્થાઓ આ કામમાં રસ લઇ કામગીરી પુર્ણ કરવામાં આવે અને જો આ કંપ્ની દ્વારા ટૂંક સમયમાં કામગીરી પુર્ણ ના કરવામાં આવે તો તેના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોઙ્ગી માંગ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech