સોઢાણામાં તળાવ ઊંડું ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી

  • May 17, 2025 02:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર નજીકના સોઢાણા ગામે આપડોરીયા તળાવમાંથી માટી કાઢીને તેને ઊંડું ઉતારવાની કામગીરી ધમધમી રહી છે. પોરબંદર જિલ્લામાં ચોમાસાના પાણીનો ભુગર્ભ જળ સંચય કરવા માટે સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૫ કેચ ધ રેઈન અંતર્ગત તળાવો ઉંડા કરવા, હયાત ચેકડેમોનું ડીસીલ્ટીંગ, હયાત જળાશયોનું ડીસીલ્ટીંગ, રીપેરીંગ, જળાશય જાળવણી, જળાશય, તળાવ ડીસીલ્ટીંગ, ડેમ અને નહેર મરામત અને જાળવણી, નહેર ડીસીલ્ટીંગ,નદી મરામત, વોકળાની સાફ સફાઈ સહિતના કામો કરવામાં આવી રહ્યા છે. 
જે અંતગર્ત પોરબંદર તાલુકાના સોઢાણા ગામ ખાતેના આપડોરિયા તળાવ ઊડું ઉતારવાની કામગીરી કરવામાં આવી છે અત્યાર સુધીમાં ૩૭૦૦ ઘન મીટર માટી કાઢવામાં આવી છે અને તળાવ વધારે ઊંડું બને તે માટેની કામગીરી પણ વધુ તેજ ગતિથી કરવામાં આવી રહી છે.આપડોરિયા તળાવ ઊડું ઉતારવાથી પાણીનો વધુ જથ્થો સંગ્રહિત કરી શકાશે અને આસપાસની જમીનોના પાણીના તળ ઊંચા આવશે અને પાણીની ગુણવત્તામાં સુધારો થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application